ભાજપનો માસ્ટરપ્લાન / કોળી નેતા કુંવરજી બાવળિયા અને સોલંકી નું પત્તું કાપવા, આ નેતાને કર્યા આગળ, જાણો.
કોળી સમાજમાં રાજકીય પ્રતિનિધિત્વ ને લઈને ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે. ભાજપ સરકારમાં બે કોળી મંત્રી કુંવરજી બાવળિયા અને મંત્રી પુરુષોત્તમ સોલંકી નું પત્તું કાપી કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા અને રાજકીય રીતે પ્રમોટ કરવા ભાજપ રસ લઈ રહ્યું છે. જન આશીર્વાદ યાત્રામાં કાર્યકરોની ભીડ એકત્રિત કરી મંત્રી મહેન્દ્ર મુંજપરા અને મોટા કોળી નેતા સાબિત કરવા ભાજપે રાજકીય પ્રયાસો શરૂ કરી દીધા છે.
આગામી વિધાનસભાની ચૂંટણીના પગલે ઠાકોર બાદ કોળી સમાજ મુખ્યમંત્રી પોતાના સમાજ નો હોવો જોઈએ, તેવી માંગ કરી છે. તેમણે અત્યારે કોળી સમાજમાં અંદરોઅંદર રાજકીય ધમાસાણ જામ્યું છે.
અખિલ ભારતીય પરિષદ કોળી સમાજના પ્રમુખ પદેથી મંત્રી કુંવરજી બાવળિયાને રજા આપી દેવાય છે. કોળી સમાજ બાવળીયા થી નાખુશ થયા હતા. મંત્રી પુરુષોત્તમ સોલંકી એ પણ પોતાના સૂર પુરાવી સરકાર સામે બંડ પોકાર્યો હતો.
પરશોતમ સોલંકી ની વાત માં બાવળિયે જરાય રસ લીધો ન હતો. ટૂંકમાં બંને કોળી મંત્રીઓએ આમને-સામને છે. અત્યારે સ્થિતિ જોતા કોઈ મતદારો ભાજપથી વિમુખ થયા છે.
ભાજપ ને એ વાતનો ડર છે કે, બાવળીયા અને પરસોતમ સોલંકી ની કોળી મતદારો વચ્ચે રાજકીય વર્ચસ્વ જમાવવાની લડાઈનો કે કોંગ્રેસને લાભ મળી ન જાય. આ જોતા ભાજપે કોળી સમાજમાં નેતાગીરી જ નવી ધરી અને રણનીતિ તૈયાર કરી છે.
જેના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા ભાજપના રાજકીય રીતે પ્રમોટ કરવામાં આવી રહ્યા છે. જેમાં આશીર્વાદ યાત્રામાં મંત્રી મનસુખ માંડવિયા અને પરસોતમ રુપાલા સહિત અન્ય કેન્દ્રીય મંત્રી પણ એકત્ર થયા હતા. યાત્રામાં મુંજપરા નું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!