ભાજપની લાલ આંખ, હવે નેતાઓની નારાજગી નહીં ચાલે, નારાજ નેતાઓની આવી પ્રતિક્રિયા..

ગુજરાતના નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની ટીમ જાહેર થઈ ગઈ છે. આજે ગાંધીનગર રાજભવન ખાતે શપથ સમારંભ યોજાશે, જેમાં નો રિપીટ થિયરી સાથે નવા ચહેરાને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યા છે. જેમને આજે સાંજે 4:30 વાગે મંત્રીમંડળની પ્રથમ બેઠક મળશે. જેમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે.

ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં નવા સભ્યોને મંત્રી પદ આપવામાં આવ્યા છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળનું કદ 25 રાખવામાં આવ્યું છે.

તેમજ 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજયકક્ષાના મંત્રી રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં હવે નવા મુખ્યમંત્રીએ નવા મંત્રીઓ સાથે જ પદભાર સંભાળી લીધો છે.

ત્યારે હવે ભાજપ પક્ષ નવા ચહેરાઓ સાથે આગળ વધવા માંગે છે. એ મહત્વનું છે કે, ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

ત્યારે ભાજપ નું ધ્યાન હવે ગુજરાતમાં 2022માં સર્વોચ્ચ સફળતા હાંસલ કરવાનું છે. જેને લઈને ભાજપે એક તીર બે નિશાન સાધું હોય તેવું લાગી રહ્યું છે.

મહામારી ના સમયે વહીવટ નિષ્ફળતાઓ સામે ડેમેજ કંટ્રોલની ભાજપની કવાયત માનવામાં આવી રહી છે. બીજી તરફ ભાજપ નો સ્પષ્ટ સંકેત આપે છે કે, પક્ષ ઉપરથી કોઈ નથી ભાજપ ગુજરાત ના માધ્યમથી ભાજપ રાષ્ટ્રીય સ્તરે પણ મેસેજ પહોંચાડવા માંગે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *