માં મોગલ ની કૃપાથી આ બહેનના બાળકનું કિડની નું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું, તે બહેન મોગલ ધામ પહોંચી ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે…
મા મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે. મા મોગલ તો 18 વરણ ની માતા કહેવાય છે. જ્યારે ભક્તોના જીવનમાં દુખ આવે છે ત્યારે તેઓ મા મોગલ અચૂક યાદ કરતા હોય છે. કહેવાય છે કે મા મોગલ પર શ્રદ્ધાને આશા રાખવામાં આવે તો મા મોગલ બધા ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. સાચા દિલથી મા મોગલ ને માનો તો મા મોગલ પણ રાજી રાજી થઈ જાય છે, અને સાથે ભક્તોનું જીવન પણ ધન્ય ધન્ય થઈ જાય છે.
સાંભળ્યું છે કે, આજ દિન સુધીમાં મોગલ એ લાખો ભક્તોને પરચા બતાવ્યા છે. ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક યુવતી પોતાના બાળક પર માનેલી માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામમાં મા મોગલના મંદિર આવી પહોંચી છે.
ત્યારે તમે એ કિસ્સો સાંભળીને કહી શકશો કે, માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એટલે જ મા મોગલ તમારી માનતા સાંભળી છે. કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે.
ત્યારે એક યુવતી પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવી ત્યારે મણીધર બાપુના આશીર્વાદ લીધા મણિધર બાપુએ આશીર્વાદ આપીને પૂછ્યું બેટા શેની માનતા હતી. ત્યારે યુવતીએ કહ્યું કે, પોતાના બાળકને એક કિડની ફેલ હોવાથી તેની માટે ઘણી સમયથી વારો આવતો ન હતો
ત્યારે વારો આવતા ની સાથે જ પોતાના બાળકને સફળ ઓપરેશન બાદ મા મોગલ ની માનતા પૂરી કરવા માટે મા મોગલના ચરણે 5151 અર્પણ કર્યા હતા. એવામાં જ મણીધર બાપુએ 5,151 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પાછા આપતા કહ્યું કે, મા મોગલ ને તારી 51 ગણી માનતા સ્વીકારી છે.
અને આ રૂપિયા તારી દીકરીને આપજે મા મોગલ રાજી થશે. મા મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી. મા મોગલ પર માત્ર વિશ્વાસ રાખો, એટલે માં મોગલ બધા ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!