મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સાથે કરી બેઠક
રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ હાલ રાજકોટની મુલાકાતે છે. કોંગ્રેસ પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રીને મળવા પહોંચ્યું હતું. જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રતિનિધિ મંડળ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન પોલીસ વિભાગ મહાનગરપાલિકા અને શિક્ષણ વિભાગના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કાયમી પોલીસ કમિશનરની નિમણૂક કરવાની માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
આ ઉપરાંત ઈ મેમો નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા તથા પાણીની સમસ્યા હલ કરવાની માંગ શિક્ષણમાં ફી વધારો મોંઘવારી મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી.
જે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરવા પહોંચ્યા હતા. તેમાં હેમાંગ વસાવડા, ગાયત્રીબા વાઘેલા, શહેર પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, મહેશ રાજપૂત અને વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી નો સમાવેશ થાય છે.
જોકે ફક્ત કોંગ્રેસના નેતાઓ સાથે જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ મુખ્યમંત્રીએ મુલાકાત કરી છે. આમ આદમી પાર્ટીના નેતા પણ મુખ્યમંત્રીએ સમય આપ્યો હતો.
આમ આદમી પાર્ટીના નેતાઓ રાજકોટના બ્રિજનાં કામો ફી વધારા નો મામલો વગેરે બાબતોને લઈને રજૂઆત કરી છે. આ રાજકોટ મનપા ખાતે મુખ્યમંત્રીની બેઠક પૂર્ણ થઈ છે. ભૂપેન્દ્ર પટેલ આ દરમ્યાન કોર્પોરેટરો અને પ્રજા વચ્ચે રહેવાની સૂચના આપી છે.
તમામ વિકાસના કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચના આપી છે. ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મુખ્યપ્રધાનોની બેઠક યોજી છે. આ બેઠકમાં તમામ કોર્પોરેટર હાજર રહ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!