વિજય રૂપાણી અને સી.આર.પાટિલ ની નારાજગી દૂર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે..

રાજકોટમાં CM ભૂપેન્દ્ર પટેલ નો પ્રવાસ યોજાશે મુખ્યમંત્રી બન્યા બાદ રૂપાણી ના મત વિસ્તારમાં પ્રથમ સત્તાવાર કાર્યક્રમ જાહેર થશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટ થી શરૂ કરીને આ રોડ શો ધર્મેન્દ્રસિંહ કોલેજ સુધી રહેશે. જો કે આ કાર્યક્રમમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે

આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ ની સાથે રોડ શોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય સરકારના પાંચ મંત્રીઓ પણ જોડાશે.

રાજકીય રીતે આ ખૂબ જ સૂચક કાર્યક્રમ છે કારણ કે પ્રથમ વખત પૂર્વ મુખ્યમંત્રી ના મત વિસ્તારમાં CM ભુપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ અધ્યક્ષ સી.આર.પાટીલ એક મંચ પર ઉપસ્થિત રહેશે.

રાજકોટના બે થી અઢી કિલોમીટરના રોડ શોમાં એક આકર્ષણનું કેન્દ્ર જોવા મળશે. ખુલ્લી જીપમાં સીએમ ભુપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના પાંચ રાજ્યના મંત્રીઓ તેમજ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

તો બીજી તરફ મુખ્યમંત્રીના રોડ શોને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતાઓએ મુખ્યમંત્રી લોકોના જીવ જોખમમાં મુકવા આવતા હોવાનો આક્ષેપ કર્યા છે.

અને કોરોના ના કપરાં કાળમાં ભાજપના કાર્યકર્તા સામે વિરોધ કર્યો છે, અને રોડ શો રદ કરવાની માંગ કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *