CM ભુપેન્દ્ર પટેલ નું નવું મંત્રીમંડળ તૈયાર, આ નવા નામ ચોકાવી શકે છે, 11 ના પત્તા કપાયા…
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે એક ખાસ માસ્ટર પ્લાન હેઠળ ભારતીય જનતા પાર્ટીએ પોતાના મંત્રીઓને બદલી રહ્યું છે ત્યારે રાજ્યમાં ભુપેન્દ્ર પટેલ સ્વરૂપે નવા મુખ્યમંત્રી મળ્યા છે.
ભૂપેન્દ્ર પટેલની વરણી બાદ ફરી વાર પાટીદાર સમાજ પર વિધાનસભા ચૂંટણીનો દારોદાર હોય તેવું દેખાઈ રહ્યું છે. પાટીદારોની માંગ પ્રમાણે ભાજપે પાટીદારને મુખ્યમંત્રી બનાવ્યા છે ત્યારે હવે બધાની નજર નવા મંત્રી મંડળ છે.
એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ પાટીદારોને ખુશ કરવા પ્રયાસ કર્યા છે. ત્યારે હવે જ્ઞાતિના આધારે જુદા જુદા મંત્રીઓને સ્થાન આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
સૂત્રો અનુસાર ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ નવા મંત્રીઓને સ્થાન આપવા જઈ રહ્યા છે.
ત્યારે ચાર પાટીદારો બે ક્ષત્રિય, એક આદિવાસી, એક આહિરે, કોળી, એક બ્રહ્મ સમાજના મંત્રી નું પત્તું કપાશે તેવી માહિતીઓ પણ સામે આવી રહી છે.
રાજ્યની સરકાર માં અત્યાર સુધીમાં પાટીદારોના દિગ્ગજ નેતા નીતિન પટેલ અને ભુમીકા ભજવી રહ્યા હતા ઊભી થઈ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બને પાટીદાર હોય તેવું રહ્યું નથી,
ત્યારે નીતીનભાઇ પટેલ જેવા દિગ્ગજ નેતા નું પણ મંત્રીમંડળમાંથી પત્તું કપાય શકે છે. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર નીતિન પટેલના સ્થાને ઋષિકેશ પટેલને સ્થાન આપવામાં આવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!