CM રૂપાણી ના નિવાસસ્થાને કોર કમિટીની બેઠક મળી, ધોરણ 6 થી 8 ના વર્ગ શરૂ કરવા અંગે લેવાયો નિર્ણય, જાણો.
ગુજરાતમાં મહામારી વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના નિવાસ્થાને શિક્ષણ વિભાગની મહત્વની બેઠક કરવામાં આવી હતી. બધી માહિતી અનુસાર આ બેઠકમાં શિક્ષણ પ્રધાન પણ હાજર છે. આ બેઠકમાં ધોરણ 6 થી 8 ના વર્ગ અને ઓફલાઇન મુદ્દે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.
જેને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોર કમિટીની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો લીધા હતા, અને તેના પર ચર્ચા વિચારણા કરી હતી.
આ ઉપરાંત શાળા શરૂ કરવા અંગે નિર્ણય લીધા હતા.આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આગામી કલાકોમાં શાળા શરૂ કરવાને લઇને મોટી જાહેરાત કરી શકાય છે.
ગુજરાતમાં હવે મહામારી ના કેસ કાબૂમાં આવી રહ્યા છે. ત્યારે હવે પ્રાથમિક વિભાગમાં છ થી આઠ વર્ષના ધોરણો શરૂ કરવા માટે સરકાર આગળ ની તૈયારીઓ શરૂ કરી રહી છે.
ચાલુ સાહિત્યમાં રાજ્ય સરકાર અંગે મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે. મળતા સૂત્રો અનુસાર જન્માષ્ટમીના તહેવાર બાદ સપ્ટેમ્બરને આરંભથી જ પ્રાથમિક શાળાઓ શરૂ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
આ ઉપરાંત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અગાઉ જાહેરાત કરી હતી કે, 15 ઓગસ્ટ બાદ છ થી આઠ ના વર્ગો શરૂ કરવા અંગે બેઠક મા નિર્ણય લેવામાં આવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!