શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાવાને લઈને કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આપ્યું મોટું ચોકાવનારું નિવેદન
માધવ સિંહ સોલંકીના જન્મ દિવસ નિમિત્તે આજે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ હાજરી આપી હતી. તે ભરતસિંહ સોલંકી એ કાર્યક્રમ દરમિયાન એવું જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકી ના સકારાત્મક વિચારને લઈને અને આગામી દિવસોમાં આપણે સૌ આગળ વધશું. માનવામાં આવી રહ્યું છે કે, ભરતસિંહ સોલંકી જે થોડા સમય પહેલા રાજકીય રીતે નિષ્ક્રિય થઈ ગયા છે.
તે આગામી સમયમાં સક્રિય થાય તેવા એંધાણ વરતાય રહ્યા છે. બીજી તરફ ડોક્ટર પ્રભુ શર્મા એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી છે તેમણે કહ્યું હતું કે, ભરતસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના મોટા નેતા છે.
અને તેમને સક્રિય થવું જોઈએ. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે ક્યારેય તેમના નિષ્ક્રિય થવાનું કહ્યું નથી. શંકરસિંહ વાઘેલાએ શરત મૂકી છે કે, જો ગુજરાત કોંગ્રેસ દારૂબંધી હટાવવા નો વચન આપે તો કોંગ્રેસમાં જોડાઈશ શંકરસિંહ વાઘેલા જે શરત મૂકે છે.
કોંગ્રેસના સામેલ થવા તે શરત અંગે કોંગ્રેસ પ્રભારી જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં આવવું હોય તો આવી શકે છે. વાતચીત તો ચાલુ છે. પરંતુ કોંગ્રેસના કાર્યકર કોઈ પણ શરતી એન્ટ્રી થતી નથી. કોંગ્રેસ પોતાની વિચારધારાને વળગી રહેશે.
તેવું રઘુ શર્મા એ જણાવ્યું હતું. ઉલ્લેખની વિધાનસભાની ચૂંટણીને માંડવે પાંચ મહિના રહી ગયા છે. ત્યારે ફરી એકવાર શંકરસિંહ વાઘેલા રાજકારણમાં સક્રિય થયા છે. શંકરસિંહ વાઘેલાના નિવાસ્થાને એક મહત્વની બેઠક મળી હતી.
જેમાં કઈ પાર્ટીને સપોર્ટ કરવો તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભરતસિંહ સોલંકી જે થોડા સમય પહેલા રાજકીય રીતે નિષ્ક્રિય થઈ ગયા છે. કોંગ્રેસ પોતાની વિચારધારાને વળગી રહેશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!