ભાજપને હરાવવા માટે કોંગ્રેસના નેતાઓએ નાખ્યા સૌરાષ્ટ્રમાં ધામા, અગ્રણીઓ સાથે બેઠક શરૂ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હરકતમાં આવી ગઇ છે. સૌરાષ્ટ્રના પ્રભારી રામ કિશોર રાજકોટ માં ધામા નાખ્યા છે. આજથી સૌરાષ્ટ્ર પ્રવાસ શરૂ કર્યો છે. સૌરાષ્ટ્ર જામનગર, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, સહિતના જિલ્લાઓમાં મુલાકાત કરશે અને રાજકોટના જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક કરશે અને અગ્રણીઓ સાથે પણ બેઠક કરશે.
રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક કરી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપને હરાવવા માટે કોંગ્રેસે એડીચોટીનું જોર શરૂ કરી દીધું છે. સૌરાષ્ટ્ર કબજે કરવા માટે અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સાથે સાથે જગદીશ ઠાકોરે પણ પાટણમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. તેમાં પાટણ જિલ્લાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામવાનો છે.
ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્રણે પાર્ટી દ્વારા અત્યારથી જ કાર્યકર્તાઓને આકર્ષવા માટે તૈયારીઓ તેજ કરી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યકર્તાઓને અને સામાન્ય જનતાને આકર્ષવા માટે એક પછી એક યોજના બહાર પાડી રહી છે.
આમ આદમી પાર્ટી પણ લોકો સુધી પહોંચી તેના પ્રશ્ન સાંભળીને નિરાકરણ લાવી રહી છે. કોંગ્રેસ દ્વારા પણ જનતાને આકર્ષવા માટે કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ત્રણેય પાર્ટી દ્વારા એડીચોટીનું જોર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે પક્ષ પલટાનો દોર પણ શરૂ થઇ ગયો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!