કોંગ્રેસ નેતાઓ ચિંતામાં, કેવી રીતે વિધાનસભાની ચૂંટણી લડશે !

ગુજરાત કોંગ્રેસની સ્થિતિ એવી છે કે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે. કોંગ્રેસ નું ઘર લાક્ષાગૃહ બની ગયું છે. ધારાસભ્યોને સાચવી ન શકે લી કોંગ્રેસની ગુજરાતની નેતાગીરી હવે વીલે મોઢે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરવાનો ડોળ કરી રહી છે.

કોંગ્રેસ ના કાર્યકર્તાઓ અંદરોઅંદર લડી રહ્યા છે. ૧લી ઓગસ્ટ થી રાજ્યમાં જનસંપર્ક અભિયાન શરૂ કરવાની જાહેરાત કરીને હાઈ કમાન્ડને એ રીતે બતાવવાની કોશિશ કરી રહ્યા છે.

કોંગ્રેસ રૂપાણી સરકાર સામે વિવિધ અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસે પહેલી તારીખ કોંગ્રેસ ‘શિક્ષણ બચાવો અભિયાનના કાર્યક્રમ કરશે: તો બીજી તારીખે કોંગ્રેસ ‘સંવેદનાહીંન સરકાર આરોગ્ય બચાવો અભિયાન’ નામે કાર્યક્રમ કરશે ત્રીજી તારીખે કોંગ્રેસ સત્ર ‘અન્ન અધિકાર અભિયાન’ નામે કાર્યક્રમ કરશે ૪થી તારીખે ‘મહિલા સુરક્ષા અભિયાન’ કાર્યક્રમ કરશે.

ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ટિકિટોની વહેંચણીમાં કુલડીમાં ગોળ ભાંગ્યો હતો, અને મામા, માસી વાળા તથા ગોડફાધરરિયા કલ્ચરને અગ્રીમતા આપી ટિકિટોની વહેંચણી કરી હતી. ખુદ ભરતસિંહ કે ચાવડાના વફાદારો ને પણ ટિકિટ આપવામાં આવી ન હતી.

કોંગ્રેસ પાસે અનેક મુદ્દા છે પણ વિરોધ પક્ષ તરીકે ગુજરાત કોંગ્રેસના લોકો વચ્ચે તમામ મુદ્દા લઈ નિષ્ફળ રહેલી જણાય છે. સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો અલગ બાબત છે.

પ્રેસ કોન્ફરન્સ કે નિવેદન આપીને વાત રજૂ કરી અલગ છે, અને લોકોનું સમાચાર સમર્થન મેળવવું એક સાવ અલગ જ બાબત છે. કોંગ્રેસ હજુ પણ ગોતે છે કે કેવી રીતે લોકોની વચ્ચે જવું અને જવું તો કયા ચોઘડિયામાં ?

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *