સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો, 23 દરવાજા ખોલાતા અનેક ગામો જળબંબાકાર..
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. અને જળ સ્તર 136 મીટર સુધી પહોંચ્યું છે. સરદાર સરોવર ડેમમાં 3,12,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 23 દરવાજા 2.15 મીટર ખુલ્લી કુલ 3,94,000 ક્યુસેક પાણી છોડાવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી તોફાની બની છે.
આ સાથે નર્મદા નદીના કાંઠે આવેલા ગામો અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.
આ ડેમના 15 દરવાજા 2.35 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત જળ વિદ્યુત મથક માંથી પણ પાણી નર્મદા માં છોડવામાં આવશે. આ અગાઉ ડેમના 10 દરવાજા ખોલી ડેમમાંથી 1,55,085 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
ગુજરાતમાં આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે. વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના ત્રણ ડેમ ઓવરફ્લો થવા ની સંભાવના દેખાઈ રહી છે.
આ તમે 24 થી 48 કલાક અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને સંભાવના દેખાઈ રહી છે. હાલ તો વરસાદ લીધો છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર ધોધમાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.
સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 97 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં સીઝનનો સો ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!