Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સી.આર.પાટીલ ગજર્યા, કહ્યું વિધાનસભામાં ટીકીટ જોઈએ છે, મંત્રી બનવું છે પણ.. - GUJJUFAN

સી.આર.પાટીલ ગજર્યા, કહ્યું વિધાનસભામાં ટીકીટ જોઈએ છે, મંત્રી બનવું છે પણ..

પેજ કમિટીનું કામ સો ટકા ના થતા સી.આર.પાટીલ થયા લાલધૂમ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકોનો લક્ષ્યને લઈને ચાલતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રાજકોટમાં એક તબક્કે રાતા ચોળ થઈ ઉઠ્યા હતા. વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓમાં જ બાકી રહ્યા છે. ત્યારે પેજ કમિટી નું કામ પૂરું ના થયું હોવાની નોંધ લઇને પાટીલે કાર્યકર્તા પર સીધા સવાલ ઉઠાવ્યા હતા.

અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું કે, રાજકોટમાં પેજ કમિટીનું કામ સો ટકા થયું નથી. અહીં લાખો કાર્યકર્તા છે છતાં પેજ કમિટી કેમ નથી બની ?

વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ બાજુઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, વિધાનસભા ટીકીટ જોઈએ છે. મંત્રી બનવું છે, પણ તે જ કમિટી બનાવી નથી.

આ બધું મને પસંદ નથી. કાલે મને આંકડા આપો. શહેર ભાજપમાં ફફડાટ ફેલાઈ ગયો છે. રાજકોટમાં સી.આર.પાટીલ ની મોહનભાઈ કુંડારીયા ને પણ ટકોર કરી હતી.

બાળકોને દત્તક લેવા સૂચના આપી હતી અને ગામડાંઓમાં રસ્તામાં તો તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે.આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે.

ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આગામી ચૂંટણી જીતવા માટેની રણનીતિ તૈયાર કરી રહ્યા છે.

આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા અને પોતાની વોટબેંક મજબૂત કરવા માટે દરેક પાર્ટી એકબીજાને ટક્કર આપી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *