નીતિન પટેલ અને વિજય રૂપાણી નારાજ હોવા અંગે સી.આર.પાટીલે આપ્યું મોટું ચોકાવનારું નિવેદન
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નારાજ હોવાની ચર્ચા વચ્ચે ભાજપ પ્રદેશપ્રમુખ આર પાટીલે કહ્યું કે ભાજપમાં કોઈ નારાજ નથી અને વિજયભાઈ રૂપાણી પણ આજના પીએમ મોદીએ નમો એપ થી પેજ કમિટીના સભ્યો સાથે ચર્ચા કરીએ કાર્યક્રમમાં જોડાયા હતા. પાટીલે કહ્યું કે અત્યારે કોઈ નારાજ નથી, અને પક્ષમાં જવાબદારીઓ બદલાતી રહેતી હોય છે.
તેથી તેને નારાજગીના કહેવાય. પાટિલે કહ્યું કે પીએમ મોદીને મોતથી પેજ કમિટીના સભ્યો સાથે ચર્ચા કરીએ કાર્યક્રમમાં રાજ્યના આઠ જેટલા પેજ સમિતિના સભ્યો સાથે મોદીએ વાતચીત કરી હતી.
તેમણે પેજ કમિટીના સભ્યો કુપોષણ બાબતમાં કામ કરે તેવી પહેલ કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે ભેજ કમિટી માટેના જે સૂચનાઓ વ્યક્ત કર્યા તે અંગે અમે કામ કર્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનાર વિજય રૂપાણીની સોમવારે રાજકોટના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના કાર્યક્રમમા આમંત્રિત ના કરી નખાય તેનો વિવાદ વકર્યો હતો.
તેના કારણે વિજય રૂપાણી નારાજ હોવાની ચર્ચાએ જોર પકડયું છે. સાથે નીતિન પટેલ પણ નારાજ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. વિજય રૂપાણીની વર્તમાન સરકાર અને ભાજપ સંગઠન પણ ઉપેક્ષા કરી રહ્યા હોવાનું ચર્ચા સતત ચાલતી રહે છે.
આ ચર્ચા વચ્ચે રાજકોટમાં બનેલી ઘટનાના પગલે ભાજપમાં જ એવી ચર્ચા છે કે, ગુજરાતના મુખ્ય મંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી વિજય રૂપાણી ને કોરાણે મૂકી દેવાયા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!