AAPમાં ભંગાણ / એક સાથે આટલા કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું, શા માટે જાણો.

આમ આદમી પાર્ટીમાં આણંદ જિલ્લામાં ભાગલા પડ્યા છે. હજુ તો વિધાનસભાની ચૂંટણીને ઘણી વાર છે, ત્યારે ગુજરાતમાં પહેલી વખત પગપેસારો કરી રહેલા આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ ની મોટી વિકેટો ખેરવી બેઠે થયેલી આમ આદમી પાર્ટીમાં જ મોટું ગાબડું પડયું છે.

આણંદ જિલ્લા ભાજપના હોદ્દેદારોએ રાજીનામાં આપી દેતાં ગુજરાત આપને મોટો ફટકો પડ્યો છે. કાંકરે કાંકરે પાળ બંધાય હતી, આમ આદમી પાર્ટીમાં પ્રદેશ નેતૃત્વ ના હોદ્દેદારોએ રાજીનામું આપી દીધું છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ભાગ દોર સંભાળી રહેલા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને અન્ય તમામ ગુજરાત મોટા ગજાના નેતાઓ સંવેદના કાર્યક્રમ દ્વારા લોકો સાથે મનમેળ કરી રહ્યા છે.

પણ આપમાં લોકો સાથે તો આમ આદમી પાર્ટી જોડાયું પણ જિલ્લા હોદ્દેદારોએ આપના શીર્ષ નેતૃત્વમાં મનમેળ ન થયો અને આજ કારણોસર કાર્યક્રમમાં જિલ્લા હોદ્દેદારો ની થયેલી અવગણના અને અપમાન ના બદલામાં એક સાથે તમામ જિલ્લા વધારે રાજીનામું આપી દીધું છે.

150થી વધારે હોદ્દેદારોએ રાજીનામું આપ કારણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્થાનિક સંગઠન જોહુકમી કરી રહ્યું છે. પ્રદેશ નેતૃત્વ સામે નારાજગી દર્શાવતા હજુ પણ વધુ કાર્યકર્તાને રાજીનામાં આપવાની પૂરેપૂરી સંભાવના છે.

અગાઉ પણ ગુજરાતમાં પણ જૂથવાદ થયો હતો. પ્રદેશ આપના યુવા પ્રમુખ મહિપતસિંહ ચૌહાણ નું પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. હજુ તો આપણા યુવા પ્રમુખ તરીકે જવાબદારી સોંપાઇ હતી. ત્યારે બનાસકાંઠામાં એક કાર્યક્રમમાં થયેલા વિવાદને કારણે તેમણે રાજીનામું આપી દીધું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *