દિનેશ બાંભણિયા એ ભાજપ સરકાર પર આ મામલે લગાવ્યા ગંભીર આક્ષેપ, મુખ્યમંત્રી ને…
બિન અનામત આયોગ માં વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે વ્યવસ્થા ન હોવાની રજૂઆત દિનેશ બાંભણિયા કરી છે.આ સાથે અરજીના એક વર્ષ બાદ પણ વિદ્યાર્થીઓને લાભ ન મળતો હોવાનું પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. તદુપરાંત આ અંગે વારંવાર રૂબરૂ રજૂઆત કરવા છતાં જવાબ નહોતો હોવાનો પણ પત્રમાં બાંભણિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સાથે દિનેશ બાંભણિયા બિન અનામત આયોગ દ્વારા લાભ આપવાનો હોય તો નિગમ બંધ કરવાનું પણ સૂચન પત્રમાં કહ્યું છે. તમને જણાવી દઈએ કે, દિનેશ બાંભણિયા મુખ્યમંત્રીને બિનઅનામત વર્ગના નિગમ અને
આ યોગને બંધ કરવા બાબતે પત્ર લખીને જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલનના પ્રયોગથી બનાવવામાં આવેલ બિન અનામત વર્ગ આયોગ અને નિગમના વિદ્યાર્થીઓને પ્રશ્નના નિરાકરણ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી.
આ સાથે પત્રમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ વારંવાર ધક્કા ખાઇ રહ્યા છે. ફોન પણ ઉપાડતા નથી કોઈ પણ પ્રકારના જવાબ સમયસર હોતા નથી. એક વર્ષથી કરેલી અર્જુન હજુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી.
વધુમાં જણાવ્યું હતું કે, ઘણી બધી રજૂઆતો પત્રો દ્વારા અને રૂબરૂ પણ કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું ઘણા વિદ્યાર્થીઓએ નિગમમાં હજી અને લોન અથવા સહાયની અપેક્ષા એ પોતાના અભ્યાસની શરૂઆત કરે છે.
પછી સમયસર પૈસા ન મળતા બ્રષ્ટાચાર અને લેવામાં આવી જાય છે. જેથી ઘણા પરિવારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બિન અનામત વર્ગ આયોગ માં વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ થતું નથી, જેથી કરીને વિદ્યાર્થીઓને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!