રાજકારણમાં ભૂકંપ / નરેશ પટેલે આપ્યું મોટું નિવેદન, કહ્યું ભાજપ સરકાર..
રાજય આદિવાસી જાતિ વિકાસ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલે નવસારી જિલ્લાના ચીખલી અને ગણદેવી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગના કુલ 8 કરોડના વધુ ખર્ચે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે આદિવાસી જાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના લોકોની ચિંતા કરી તેમને મદદરૂપ બની રહી છે.
પ્રજાજનોની સુખાકારી માટે ગામેગામ પાકા રસ્તા પીવાના પાણીની સુવિધા સાથે લોકોની સમસ્યાઓને ધ્યાને રાખીને રાજ્ય સરકારે પાયાની ભૌતિક સુવિધાઓ આપીને જ વિશ્વાસ સંપાદિત કર્યો છે.
તમામ પ્રજાલક્ષી કામો ગુણવત્તાવાળો બને અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા માટે જણાવ્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રજાની સમસ્યા અને તેમને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી મદદરૂપ થવાના છે.
એવા ભાવ સાથે વિકાસના કામ કરી રહ્યા છીએ રાજ્ય સરકારના અનેક વિવિધ લક્ષી યોજના નો લાભ લેવા જણાવ્યું હતું.
મંત્રીએ તેમના બંને વિભાગો આદિજાતિ વિકાસ અને અન્ન પુરવઠા નાગરિક પુરવઠા વિભાગની તમામ માહિતી ગ્રામજનોને આપી હતી.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર બાંધકામ સમિતિના અધ્યક્ષ દીપાબેન પટેલ પ્રમુખ ભરતભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!