રાજકારણમાં ભૂકંપ / રઘુ શર્માનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું ભાજપનો દબદબો..
ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે છેલ્લા 25 વર્ષથી સત્તાથી દૂર બેઠેલી કોંગ્રેસ ફરી બેઠી કરવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ ના પ્રસંગે અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ગુજરાત કોંગ્રેસ નું મહામંથન કરવામાં આવ્યું છે.
જેમાં કોંગ્રેસ પ્રભારી રહુ શર્માએ કોંગ્રેસના સીનિયર નેતા હોય અથવા છોડી કામે લાગી જવા નિર્દેશ કર્યા છે. ગુજરાતમાં કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ મોટું નુકસાન થયું છે.
ત્યારે ભાજપનો દબદબો જોવા મળ્યો છે તેમજ છેલ્લા અઢી દાયકાથી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ આગામી વિધાનસભાની ચૂંટણી માટે કપરા ચઢાણ સાબિત થનાર કોંગ્રેસે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે.
ગુજરાતમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. અને સરકાર વિપક્ષની ભૂમિકા નિભાવી શકે રોજ પેટ્રોલ ડીઝલ અને ઇંધણના ભાવમાં વધારો થઇ રહ્યો છે.
ત્યારે કોંગ્રેસના સીનિયર નેતા હોય પ્રભારી રઘુ શર્મા દ્વારા એવી શીખ આપવામાં આવી છે. જેથી કોંગ્રેસમાં પાછા પ્રાણ ફૂંકાય કેમ કે રાજ્યમાં છેલ્લા દાયકાઓથી કોંગ્રેસ સત્તામાં નથી.
ત્યારે આજે ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે મળેલી એક બેઠકમાં રબારી રઘુ શર્માએ નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, આંતરિક જૂથવાદ પૂરો કરીને કામે લાગી જાવ 25 વર્ષથી સરકાર ગુજરાતમાં કોંગ્રેસની નથી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!