શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યા મોટા સંકેત, નવરાત્રી પહેલા..

નવરાત્રી પહેલા ધોરણ 1 થી 5 ના ઓફલાઈન વર્ગો શરૂ થઈ જવાની પ્રબળ શક્યતા છે. આ બાબત આગામી અઠવાડિયામાં શાળા સંચાલક મંડળ તરફથી નવા શિક્ષણ મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે પણ નવરાત્રી પ્રથમ પ્રાથમિક ધોરણ ના વર્ગો શરૂ થઈ જશે. તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યું હતું.

મહામારીની બીજી લહેર શાંત થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ધીમે ધીમે તબક્કાવાર છૂટછાટ આપવામાં આવી રહી છે. હાલ ગુજરાતમાં ધોરણ 6 થી 12 ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે.

ત્યારે ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા માટે નવરાત્રિ પહેલા રીલે લેવામાં આવે તેવી શક્યતા વર્તાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થઇ ગયેલ છે.

રાજ્યમાં મહામારીની સ્થિતિ કાબુમાં આવતા સરકારે 15 જુલાઈથી તબક્કાવાર શિક્ષણ કાર્ય અનલોક કરેલ છે.

જે અંતર્ગત શાળા કોલેજોમાં શરૂ કરવામાં આવ્યા છે. ધોરણ 9 થી 11 ની સ્કૂલ પણ શરૂ કરવામાં આવી છે. સ્કુલો માટે તકેદારીના ભાગરૂપે જાહેર કરવામાં આવેલ

શિક્ષણ વિભાગ SOP મુજબ વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે અને ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખવું પડશે.

તેમજ વિદ્યાર્થીઓને વાલીની લેખિત સંમતિ બાદ જ બોલાવવામાં આવશે. આ સિવાય સ્કૂલ કેમ્પસ માં બાળકો એકઠા ન થાય, અને આવતા જતા સમયે લોકો ટોળામાં ન જાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *