2022 ની ચૂંટણી : પાટીદાર સમાજના ટોચના નેતાએ કર્યો હુંકાર, જાણો.

ગુજરાતમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને અનુસંધાને વિવિધ સમાજની બેઠકો યોજાઈ રહી છે. વિવિધ સમાજની પોતાના સમાજના નેતા ને મુખ્યમંત્રી બનાવવાની તરફેણ કરતા નિવેદનો પણ આવી રહ્યા છે.

ત્યારે હવે પાટીદાર સમાજ તરફથી પણ ચૂંટણી અંગે મહત્વનું નિવેદન કરાયું છે.

ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ના ટ્રસ્ટી સી.કે. પટેલે ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીને લઈને કહ્યું છે કે પાટીદાર સમાજ આવનારા દિવસોમાં રાજકીય ચર્ચા કરવા એકત્ર થશે. બધા સમાજ અગ્રણીઓ અને તમામ સંસ્થાના અગ્રણીઓ રાજકીય ચર્ચા કરશે.

સોલા ઊમિયા ધામ સંસ્થાના વિકાસ કર્યો અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પટેલે કહ્યું હતું કે, ઉમિયા માતાજી સંસ્થાન એક ધાર્મિક સંસ્થા છે. અને તેને રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી.

તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આજની બેઠક કોઈ રાજકીય બેઠક નહોતી અને રાજકારણ માટે અલગથી બેઠક કરવામાં આવશે.

પાટીદારોના રાજકારણ અંગેના જવાબ સમય આવશે ત્યારે ધમાકેદાર રીતે આપીશું એવો હુંકાર કરતાં પટેલે કહ્યું કે, યોગ્ય સમય આવશે ત્યારે રાજકારણ માં પાટીદારો ની ભૂમિકા મુદ્દે રાજકીય મંચ પરથી જવાબ આપીશું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *