રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ / જયેશ રાદડિયાએ આ દિગ્ગજ નેતા સાથે કરી બંધબારણે બેઠક
ગુજરાત રાજ્યના માજી મંત્રી અને યુવા નેતા જયેશભાઇ રાદડીયા અને સહકારી અને અડીખમ નેતાઓ દિલીપ સંઘાણી પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ દિલ્હી ખાતે ગૃહમંત્રી અમીત શાહ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
અન્ય સમાચાર /
પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ આવતીકાલે અમદાવાદ આવશે 21 મી જાન્યુઆરીના દિવસે ખોડલધામ કાગવડ નો પંચમ પાટોત્સવ છે. સમાજ એકઠો કરી આપશે આમંત્રણ ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે.
ખોડલધામ કાગવડ ને પાંચ વર્ષ પૂર્ણ થતાં આગામી 21 તારીખના રોજ પાટોત્સવ ની ઉજવણીના કાર્યક્રમને લઇને ગુજરાતના દરેક જિલ્લામાં નરેશ પટેલ જઈ રહ્યા છે.
ખોડલધામ પ્રસંગે પાટીદાર સમાજને એક ભવ્ય પાટોત્સવ ની ઉજવણી કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે.
ત્યારે સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલનું આવતીકાલે અમદાવાદમાં શક્તિપ્રદર્શન થશે નિકોલ ખાતે મોટી સંખ્યામાં પાટીદાર યુવકો બાઇક રેલી કરી ખોડલ ધામ પાટોત્સવ કાર્યક્રમનો આમંત્રણ આપવા નરેશ પટેલ નું સ્વાગત કરશે.
ગુજરાતમાં ખોડલધામ ખાતે 21 જાન્યુઆરીએ પાટોત્સવ યોજાવાનું છે, ત્યારે ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલે અમદાવાદમાં રોડ શો યોજી પાટોત્સવના આમંત્રણ આપ્યું હતું.
તેમણે નીકોલ ખોડીયાર મંદિર થી ઉત્તમ નગર સુધી રોડ શોનું આયોજન કરીને જાહેર સભાને સંબોધી હતી. આ સભામાં નરેશ પટેલે કહ્યું હતું કે, ખોડલધામ સંસ્થા નથી, પરંતુ એક વિચાર છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!