ભલે કુંવરજી બાવળિયા નારાજ હોય પરંતુ, બાવળિયે કર્યું આ મોટું કામ, કે વિપક્ષી પાર્ટીઓમાં થવા લાગી ચર્ચા
આગામી 3 ઓક્ટોબરના રોજ યોજના રાજકોટ જિલ્લાના જસદણ પંથક ની સાણથલી અને શિવરાજપુર બેઠકની પેટા ચૂંટણીમાં રસાકસી જોવા મળી હતી. કોળી અને પાટીદાર સમાજની બહુમતી ધરાવતા આ મતવિસ્તારમાં પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પોતાની નારાજગી છુપાવી ને પ્રચાર કરવા નીકળ્યા છે.
જેમાં જૂથવાદને બાજુમાં મૂકી એક સાથે મળી પ્રચારમાં જોડાવા પ્રદેશમાંથી સૂચના આપવામાં આવી છે. આથી ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા કુવરજી બાવળીયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ બોઘરા સાથે મળી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.
શિવરાજપુર બેઠક પર ભાજપમાં છગન અને કોંગ્રેસના વિનુ મેણીયા ઉમેદવાર છે. જ્યારે સાણથલી બેઠક પર ભાજપમાં રસીલાબેન વેકરીયા સામે કોંગ્રેસમાં શારદાબેન ધડુંકે ઉમેદવારી નોંધાવી છે.
બંને પક્ષની ઉમેદવારી જાહેર થતા નેતાઓ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં પ્રચાર-પ્રસાર શરૂ કર્યો છે. જેમાં બંને પક્ષો દ્વારા સભાઓ અને બેઠકો કરી જીત માટે જોર લગાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચારમાં અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. એમ કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ, પેટ્રોલ ડીઝલ, મહામારીમાં લોકોએ જીવ ગુમાવ્યા હોય તેના પરિવારને સહાય, ગેસ બિલ, મોંઘવારી, ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ વગેરે પ્રશ્નો ઉઠાવાયા છે.
તાજેતરમાં ભૂતપૂર્વ બની ગયેલા મંત્રીઓ નારાજ નથી તેવું જાહેરમાં દેખાડવા મંત્રીઓને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર માટેનું કાર્ય સોંપ્યું છે.
આ સાથે સ્થાનિક જૂથવાદ ની બાજુમાં મૂકી એક સાથે પ્રચારમાં ઉતારવા પ્રદેશ ભાજપ દ્વારા સૂચના આપવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!