Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ખેડૂત આંદોલન : જંતર મંતર ખાતે ખેડૂતોનો દેખાવો, રાકેશ ટિકૈતે તે મોદી સરકારને કહ્યું કે.. - GUJJUFAN

ખેડૂત આંદોલન : જંતર મંતર ખાતે ખેડૂતોનો દેખાવો, રાકેશ ટિકૈતે તે મોદી સરકારને કહ્યું કે..

ખેડૂત નેતા રાકેશ ટીકેટ કહ્યું હતું કે કેન્દ્ર સરકારને કેમ પાઠ ભણાવો તે ખેડૂતને બરોબર આવડે છે. જો સરકાર તેનું વલણ નહીં બદલે તો ખેડૂતો સરકારને ભારે પડી જશે. ખેડૂત નેતા રાકેશ ટીકેટ સહિતના નેતાઓએ આગેવાની માં 200 થી વધુ ખેડૂત તો દિલ્હીના જંતરમંતર ખાતે સંસદ ભરીને કૃષિ ફાયદા નો વિરોધ નોંધાવ્યો હતો.

આ ખેડૂત નેતા એ કહ્યું કે જંતર-મંતર ખાતે યોજાતી ખેડૂત સંસદે બહેરી મૂંગી કેન્દ્ર સરકારને જગાડવાનું કામ કર્યું છે.

કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય તો ખેડૂતો કેન્દ્ર સરકારને ભારે પડી શકે છે.પોતાને અવગણતા લોકો સાથે કેવું વર્તન કરવું તે ખેડૂતોને આવડે છે.ખેડૂતો દેશને બતાવી રહ્યા છે કે સંસદ ખરેખર કેમ ચાલવી જોઇએ, અને તેમાં કેવા મહત્વના મુદ્દાઓ ઉઠાવવા જોઈએ.

રાકેશ ટીકેતે ખેડૂતોને સંબોધીને કહ્યું હતું કે, તમારા આત્માના અવાજને અનુસરો અને ભારતમાં સ્વતંત્રતા નું વાતાવરણ બનાવવા માટે હંમેશા લડતા રહો. સિંધુ બોર્ડરે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોમાંથી 200 ખેડૂતોને જંતર-મંતર ખાતે પ્રદર્શનો કરવાની પરવાનગી આપવામાં આવી છે.

દરરોજ 200 ખેડૂતો આવીને જંતર-મંતર ખાતે ખેડૂત સંસદ યોજે છે. અને રાતે ફરીથી સિંધુ બોર્ડરે ચાલ્યા જાય છે. ખેડૂતોને 9મી ઓગસ્ટ સુધી જંતર-મંતર ખાતે પ્રદર્શન કરવાની છૂટ મળી છે. અત્યારે ખેડૂતો આંદોલન પર છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *