ખેડૂત આંદોલન : રાકેશ ટિકૈત નું મોટું નિવેદન, 15મી ઓગસ્ટે દિલ્હીમાં…
ત્રણે કૃષિ કાયદાની વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને ભારતીય કિસાન યુનિયનના ખેડૂત નેતા રાકેશ ટીકેટ જનનું અંદોલન ગણાવ્યું. તેમણે જણાવ્યું કે, ખેડૂતોની સાથે દરેક વર્ગ જોડાઈ ગયો છે. તેમને કહ્યું કે, આ એક આંતરિક બાબત છે. હવે ફોર્સ પણ મારી સાથે છે. યુપી ગેટ પર ખેડૂતો ને સંબોધન કરતા કહ્યું કે, 15મી ઓગસ્ટ પર રાષ્ટ્રધ્વજ દિલ્હીથી દૂર હિમાલયની ગોદમાં ફરકાવવામાં આવશે.
તેમને કહ્યું કે, હું દિલ્હીથી દૂર કોઈ ગામમાં જઈશ અને ધ્વજ વંદન કાર્યક્રમ નો ભાગ બનીશ. જે આજ સુધી ભાગ્યે જ કોઈ સરકારના પ્રતિનિધિ પહોંચ્યા હશે. ખેડૂત આંદોલનના નેતા રાકેશે દેશભરના ખેડૂતો ની અપીલ કરી છે કે, આ સ્વતંત્રતા દિવસ પર ખેડૂતો તેમના ઘરની છત પર, તેમના વાહનો પર અને યુપી ગેટના ખેડૂતો તેમના અસ્થયી ઝુપડા પર ધ્વજ ફરકાવશે.
થોડા દિવસો પહેલાં સુધી કેટલા ખેડુત સંગઠનો દિલ્હી ની અંદર તિરંગો ફરકાવવા પર અડગ હતા. પરંતુ રાકેશ ટિકિટની આ જાહેરાત બાદ દિલ્હીમાં તિરંગો ફરકાવવા ની અટકળોનો અંત આવ્યો છે.
શુક્રવારે ખેડૂત નેતા રાજસ્થાનથી આવેલા ખેડૂતોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી, અને તેમની સમસ્યાઓ જણાવી તેનો ઉકેલ લાવવા માટેની માંગ કરી હતી.
રાકેશ ટિકેત ખાતરી આપી કે ખાપ પંચાયતની વચ્ચે બધાને ન્યાય આપવામાં આવશે.સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, આ સરકાર મૌન બેઠી છે, પરંતુ તેમને હવે તેમને સમજવું પડશે.
ત્યારબાદ ખેડૂતો સાથે બેઠક યોજી હતી, અને મહત્વના મુદ્દા પર ચર્ચા વિચારણા કરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!