તહેવારોમાં આ મહામારીને લઈને કેન્દ્ર સરકારે આપી દીધી મોટી ચેતવણી, જાણો.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે હજુ 42 જિલ્લામાંથી હજુ પણ રોજના સૌથી વધારે કેસ આવી રહ્યા છે. હજી મહામારીની બીજી લહેર સમાપ્ત થઈ નથી. કેરળમાં એક લાખ કરતાં પણ વધારે કેસો છે મહારાષ્ટ્ર તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં સક્રિય કેશોદ 10 હજારથી 1 લાખ ની વચ્ચે છે.
ભૂષણે જણાવ્યું હતું કે, મહામારી ના વાયરસ ના 69 ટકા કેસો એકલા કેરળમાં છે. તેમણે એવું પણ જણાવ્યું કે, દેશમાં હજુ મહામારીની બીજી લહેર પૂરી થઈ નથી, લોકોએ હજુ પણ વધારે સાવધાન રહેવું પડશે.
સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું કે સતત 9મા અઠવાડિયે દેશમાં અઠવાડિક પોઝિટિવ રેટ ત્રણ ટકા કરતાં ઓછો રહ્યો છે. દેશના 38 જિલ્લામાં અઠવાડિક પોઝિટિવ રેટ 5 થી 10ટકાની વચ્ચે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને જણાવ્યું કે, દેશમાં 54 ટકા લોકોએ વ્યક્તિનું એક ડોઝ લઈ લીધો છે. દેશમાં 16 ટકા વસ્તીએ વ્યક્તિના બંને ડોઝ લઈ લીધા છે. તેમને કહ્યું કે, દરેક દેશને પોતાની જનસંખ્યા ઇકોનોમી અને સામાજિક વ્યવસ્થાને સુરક્ષિત રાખવાના ઉદ્દેશથી કામ કરે છે.
અમે આ ઉદ્દેશ ની પ્રાપ્તિ કરીશું, અને જોઈશુ બીજા દેશને આપવાનો સારો સમય કયો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!