નવા કૃષિ મંત્રીએ ખેડૂતો માટે આપ્યા સૌથી મોટા રાહતના સમાચાર, જાણો.

રાજકોટ અને જામનગરમાં વરસેલા ભારે વરસાદને લઇને કેશડોલ સહાયમાં સરકાર દ્વારા સુધારો કરવામાં આવ્યો છે. જ્યારે 100 રૂપિયા લેખે પ્રતિ વ્યક્તિને સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. તે સુધારા બાદ 150 લેખે પ્રતિ વ્યક્તિ સહાય ચૂકવવામાં આવશે. વધારાની રકમ હપ્તા પેટે અસરગ્રસ્તોને સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.

ઘરવખરી નુકસાની સહાયમાં પણ સુધારો કરવાની સરકારની વિચારણા કરવામાં આવી રહી છે.તાજેતરમાં રૂપિયા 3800ને કે ઘર વખરી નુકસાની સહાય ચુકવવામાં આવે છે.

આગામી સમયમાં મહેસુલ વિભાગ સત્તાવાર સુધારા ની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ કારણે ખેતીના ઉભા પાકને થયેલ નુકસાન અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જે અંતર્ગત બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 120 ગ્રામ સેવકો અને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે.

તાજેતરમાં વરસાદને કારણે પાકને થયેલા નુકશાન સંદર્ભે રાજ્ય પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી સરવે કામગીરીની તાત્કાલિક શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

પ્રધાન બ્રિજેશ મેરજા દ્વારા કહેવામાં આવ્યું છે કે, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ કૃષિ પ્રધાન એ વરસાદને કારણે થયેલા નુકસાન ને તમામ સ્થળોએ મુલાકાત મેળવી તેમને સ્થિતિ જાણવાનો પ્રયત્ન કરવાનો છે.

ત્યાર બાદ સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત હવે 120 ગ્રામ સેવકો અને સર્વે માટેની જવાબદારી સોંપવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *