રૂપાણી સરકારે રાત્રિ કરફ્યુ ને લઈને આપ્યા મહત્વના સમાચાર, જાણો.

ગુજરાતના 8 મહાનગર વિસ્તારોમાં સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ ની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે 28 ઓગસ્ટ થી 15 સપ્ટેમ્બર સુધી 11:00 થી 06:00 સુધી રાત્રી કર્ફ્યુ લાગુ રહેશે. આવતા તહેવારો જોઈ સરકારે આ નિર્ણય કર્યો હોવાની માહિતી મળી રહી છે.

વધુ પડતી ભીડ ન થાય તે માટે અને મહામારી ના નિયમ ની જાળવણી થાય તે અનુસાર અગાઉથી ચાલતા આવી રહેલા સમય મુજબ 28 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ ની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે 11:00 થી 06:00 સુધી કર્ફ્યુ પાલન કરવું યથાવત રહેશે.

જન્માષ્ટમીના દિવસે સોમવારે રાત્રે 12:00 કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી ઉજવી શકાય તે માટે આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અમલમાં મુક્યો છે. તે માટે મહાનગરોમાં તારીખ 30 ઓગસ્ટના એક દિવસ પૂરતું રાત્રી કર્ફ્યુ 1 વાગ્યા થી અમલી કરાશે.

રાજ્યના આઠ મહાનગરો માં ગણેશોત્સવ દરમ્યાન 11:00 સુધી લોકો દર્શન કરી શકશે તે માટે આ દિવસે એટલેકે તારીખ 9મી સપ્ટેમ્બરથી તારીખ 19 સપ્ટેમ્બર દરમિયાન તમામ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો અમલ રાત્રે 12 વાગ્યાથી કરાશે.

ગણેશ સ્થાપના અને વિસર્જનમાં વધુમાં વધુ 15 લોકોની મર્યાદા સ્થાપના અને વિસર્જન ની મંજૂરી આપવામાં આવી છે.તહેવારોમાં અને મહામારીની ગાઈડલાઈન ફરજીયાત પાલન કરવાનું રહેશે તેમ જ ફરજિયાત માસ્ક કરવાનું રહેશે.

સાર્વજનિક ગણેશોત્સવમાં સ્થળોએ માત્ર પૂજા આરતી અને પ્રસાદ વિતરણ ની ધાર્મિક વિધિની છૂટ આપવામાં આવી છે, અન્ય કોઈ ધાર્મિક સંસ્કૃતિ કાર્યક્રમ યોજી શકાશે નહીં.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *