ખેડૂતોને સિંચાઇ માટેના પાણીને લઇને, CM વિજય રૂપાણી આપ્યું મહત્વનું નિવેદન, જાણો.
આજે 28 ઓગસ્ટના દિવસે ગુજરાત રાજ્ય અને ગુજરાતી સાહિત્ય જગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧25 મી જન્મ જયંતી ઊજવી રહ્યું છે. ત્યારે આ અંગે રાજ્ય સરકારના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં સિંચાઈના પાણી અંગે મોટું નિવેદન આપ્યું છે. વિજય રૂપાણી રાજ્યમાં સિંચાઇ માટે પાણી છોડવા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, હાલ રાજ્યમાં સિંચાઇ માટે પાણી આપવામાં નહીં આવે.
માત્ર પીવાના પાણીની જ વાત કરવામાં આવશે અને પીવાના પાણીનો સંગ્રહ કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આ નિવેદનથી રાજ્યના ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે.
વરસાદ ખેંચાતા રાજયના ખેડૂતો સરકાર પાસે સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગોધરા ખાતે ધ્વજવંદન કર્યું હતું.
ત્યાર બાદ મીડિયા સાથે વાતચીત કરતા નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાતના ડેમોના પાણીની સ્થિતિ અને પીવાથી થતા સિંચાઇના પાણી અંગે નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે, ગુજરાતના ડેમ માં ચાલુ વર્ષે 30 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે ખેતી ચોમાસાના પાણી પર જ નિર્ભર રહેશે સરદાર સરોવર ડેમ સહિત મોટાભાગના ડેમોમાં પાણીનો જથ્થો પીવા માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે.
વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે, જેને લઇને કિસાન સંઘે ખેડૂતોને સહાય આપવા રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. 10 ઇંચ કરતાં ઓછો વરસાદ હોય તેવા વિસ્તારમાં કિસાન સહાય યોજના અંતર્ગત લાભ આપવા માટેની માંગ કરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!