ભાજપના CM રાજીનામું આપે તેવી શક્યતા, CM ની રેસમાં આ બે નામ આગળ, જાણો.
કર્ણાટકના સીએમ રાજીનામું આપે તેવી શક્યતા, રાજીનામું આપ્યા બાદ પણ ભાજપમાં સક્રિય રહેશે નવા મુખ્યમંત્રી ની રેસ માં બે નામ સામે આવ્યા છે.
કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પા રાજીનામું આપશે તેવી ચર્ચા છેલ્લા ઘણા સમયથી વેગ પકડ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, તેઓએ આજે જ રાજીનામું આપી શકે છે. જોકે કર્ણાટકમાં નવા મુખ્યમંત્રી કોણ હશે તે મામલે હજુ કોઈ સમાચાર કે જાહેરાત થઇ નથી
. જોકે યેદિયુરપ્પાએ એવા સંકેત આપી દીધા છે કે, તેઓ થોડા સમય પૂરતા જ કર્ણાટકના મુખ્યમંત્રી રહેવાના છે.
યેદીયુરપ્પા ની સરકાર ના આજે ૨ વર્ષ પૂરા થયા છે. તેમના રાજીનામા બાદ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી તેમજ મંત્રી એમઆર નીરાની નું નામ પણ સામે આવ્યું છે કે, જેમને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. જોકે આ મામલે અત્યાર સુધી કોઇ જાણકારી મળી નથી અને કોઈ સ્પષ્ટ જાણવા મળ્યું નથી.
પ્રહલાદ જોશી નું કહેવું છે કે, મુખ્યમંત્રી પદ પર અત્યાર સુધી તેમની પાર્ટી સાથે કોઈ વાત કરવામાં નથી આવી. યેદીયુરપ્પા રાજીનામું કેમ આપી રહ્યા છે તેની હજી કોઇ સ્પષ્ટ જાણ થઈ નથી.બે દિવસ પહેલા યેદીયુરપ્પા એ કહ્યું હતું કે, તેમની સરકારને બે વર્ષ પૂર્ણ થતાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ બાદ ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા ની જે પણ નક્કી કરશે તેનું પાલન કરશે. અને હવે આપ સૌ જાણો છો કે, બે મહિના પહેલા રાજીનામાની વાત કરી હતી સાથે જ તેમનું એવું પણ કહેવું છે કે, હું સત્તામાં રહું કે ના રહું ભાજપને સત્તામાં લાવવી એ મારું કર્તવ્ય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!