ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ધરખમ ફેરફારો, ભૂપેન્દ્ર યાદવએ કરી મોટી જાહેરાત

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ના નવા મંત્રીમંડળની શપથવિધિ 16મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. ગાંધીનગરના રાજભવનમાં 16 સપ્ટેમ્બરે મંત્રીમંડળ ના નવા મંત્રીઓની શપથવિધિ યોજવામાં આવશે. ધારાસભ્યો આવતીકાલ સાંજ સુધી ગાંધીનગર પહોંચવા સુચના આપવામાં આવશે.ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ હવે મંત્રીમંડળની રચના ને લઈને કવાયત ચાલી રહી છે.

મંત્રીમંડળની રચના ની જવાબદારી કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ ને સોંપવામાં આવતા તેઓ હાલ અમદાવાદમાં આવ્યા છે. તેઓ ગઈ કાલે રાત્રે અમદાવાદ પહોંચી ગયા હતા.

ગઈકાલે રાત્રે અને અનેક્ષી ખાતે ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના મહાસચિવ બી.એલ.સંતોષ સાથે બેઠક કરી હતી.ત્યાર બાદ અમિત શાહ દિલ્હી પહોંચ્યા હતા.

ભૂપેન્દ્ર યાદવ એ અનેક ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને બી.એ.સંતોષ સાથે મહત્વની બેઠક પણ યોજી હતી. નોંધનીય છે કે, ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ નવા પ્રધાનમંત્રી ની રચના માટે રાજકીય કવાયત તેજ બની છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આગમન બાદ ઉપેન્દ્ર પટેલ ની ટીમ માં કોનો કોનો સમાવેશ થશે, અને કોનું શું થશે કટ તે રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.

નવા મંત્રીમંડળની રચના ને લઈ હવે કેન્દ્રિય નિરીક્ષકો અને પ્રદેશના નેતાઓ વચ્ચે દોર શરૂ થયો છે. એટલું જ નહીં 60 ટકા નવા ચહેરાને આવશે, અને નવા મંત્રીમંડળમાં યુવાનોને તક આપવામાં આવશે.

બે ત્રણ દિવસમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓ ની શપથવિધિ યોજાય તેવા પણ નિર્દેશ મળી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *