પાટીદાર અનામત આંદોલન મુદ્દે નીતિન પટેલે આપ્યું ચોકાવનારું નિવેદન, જાણો.
અનામત મુદ્દા પર છેલ્લા પાંચ વર્ષથી વિવિધ મોરચે આંદોલન થયા છે. તો ક્યારેક સરકાર પણ નમતું જોખીને અનામતની જોગવાઈ માં ફેરફાર કરી દીધા છે. એવામાં કેન્દ્રીય સામાજીક અને ન્યાય બાબતોના મંત્રી રામદાસ અઠાવલે કહ્યું હતું કે, ગુજરાત ના પાટીદારો મહારાષ્ટ્રના મરાઠા અને હરિયાણાના જાટ ને અલગ કવોટા બનાવીને અનામત આપવી જોઈએ પાટીદારો અને મરાઠા અને ઓબીસીમાં સમાવેશ ના થઈ શકે.
આઠવલે ના આ નિવેદન બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ખુલાસો કર્યો કે કોઈ બહારના મંત્રી આવીને નિવેદન કરે તો તે ગુજરાત રાજ્યને માનવાની જરૂર નથી.
અનામત મુદ્દે રાજ્ય સરકાર પાસે અધિકાર છે. ત્યારે સવાલ એ છે કે અનામત પર સ્પષ્ટ નીતિ શું છે ? પાટીદારો સહિત વિવિધ જ્ઞાતિ માટે અનામતની જોગવાઇ કેવી રીતે થઈ શકે કેન્દ્રીય મંત્રી નું અનામત મુદ્દે નિવેદન શું સૂચવે છે ?
શું અલગ અનામતની જરૂર છે આ મુદ્દાઓ હાલ તો સમગ્ર ગુજરાતમાં ચર્ચાઈ રહ્યા છે? પાટીદાર અનામત પર નિવેદન આપતા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે એ કહ્યું હતું કે, પાટીદારો અને મરાઠા અને ઓબીસીમાં સમાવેશ ન કરી શકાય.
ત્યારે ગુજરાત સરકાર તરફથી નીતિન પટેલે મોરચો સંભાળતા અઠાવલે આ નિવેદનની જાળવણી કરતા કહ્યું કે, દિલ્હીના લેતા ગુજરાતની જાતિ વિશે ટિપ્પણી કરે એ યોગ્ય નથી. ગુજરાત સરકારે બહારના નેતાની વાત માનવાની જરૂર નથી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!