નવા મંત્રીમંડળમાં લઈને જાણો આપના નેતા ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા શું કહ્યું..
ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ ની મંત્રીમંડળની રચના થઈ ગઈ છે. ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. આ સરકારમાં તમામ મંત્રીઓ એવા છે કે, જેઓ અગાઉ ક્યારેક મંત્રી બન્યા નથી. ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જે વર્ષ 2017 ની ચૂંટણીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને હવે મુખ્યમંત્રી બન્યા છે.
જ્યારે બીજી તરફ કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. મોરબીના બ્રિજેશ અને જે.વી. કાકડિયા અને મંત્રી બનાવવામાં આવ્યા છે.
અગાઉ કુવરજી બાવળીયા અને જવાહર ચાવડા અને મંત્રી બનાવવામાં આવ્યા હતા.ત્યારે સુરતમાં થી 4 ધારાસભ્યોને રાજ્ય મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
આ બાબતે ગોપાલ ઇટાલીયા ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આજે સુરત કોર્પોરેટર માંથી નવા 4 ધારાસભ્ય અને મંત્રી પદ આપવામાં આવ્યું છે.
સાથે સુરતના કોર્પોરેશનમાંથી જ ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ કેન્દ્રીય મંત્રી અને 4 રાજ્યમંત્રી થઈ ગયા છે.
આ એજ સુરત છે જ્યાં સૌથી પહેલા આમ આદમી પાર્ટીની 27 સાથે સૌથી મજબૂત વિપક્ષ તરીકે બેઠી છે. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી જણાવ્યું હતું કે, નો રિપીટ થિયરી એટલે કે બધા જ પડતા મુકાયા કેમકે બધા જ નિષ્ફળ હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!