ખોડલધામના ચેરમેન નરેશ પટેલને રાજકારણ માં જોડાવાને લઈને કેમ વિલંબ થઈ રહ્યો છે, જાણો.
નરેશ પટેલ મુખ્ય પ્રધાનપદનો ચેહરા જાહેર કરવામાં આવે અથવા તો 30 જેટલી બેઠકો નરેશ પટેલ કહે તે ઉમેદવારને ટિકીટ આપવામાં કોંગ્રેસે આવી એની શરતો સ્વીકારી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે પાટીદાર ફેક્ટર 6 કરોડ માં 1.5 કરોડની વસતિ ધરાવે છે. નરેશ પટેલ ગુજરાતના ધાર્મિક સંસ્થા શ્રી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ છે
ટ્રસ્ટ રાજકોટ નજીક કાગવડમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ છે. આશરે 1.5 કરોડની વસ્તી ધરાવતા આ સમુદાય ગુજરાતની 6 કરોડની વસતિ ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવે છે.
નરેશ પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે. જે ગુજરાતના રાજકારણમાં મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતમાં લગભગ 15 ટકા પાટીદારો છે. નરેશ પટેલ રાજકોટ માં જોડાવા ને લઈને સમાજ સુધી પહોંચી રહ્યા છે અને તેમની પ્રતિક્રિયા સાંભળી રહ્યા છે.
તેમના ઉમેદવારો ગુજરાતભરમાં પ્રવાસ કરી રહ્યા છે. નરેશ પટેલને રાજકારણમાં જોડાઉ કે નહીં તે અંગે ગુજરાત પાટીદાર નેતાઓને મળી રહ્યા છે જોડાવું તો કઈ પાર્ટીમાં જોડાઈ તે અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.
પાટીદાર સમાજ મોટી વસ્તી ધરાવે છે જેથી નિર્ણય લેવામાં વિલંબ થઈ રહ્યો છે તેવું નરેશ પટેલે જણાવ્યું છે. નરેશ પટેલ એક બાજુ દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે બંધબારણે બેઠક કરી રહ્યા છે. હજી સુધી નરેશ પટેલ સ્પષ્ટતા કરી નથી કે તે કોઈ પાર્ટીમાં જોડાશે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીને આડે માંડ 6 મહિના રહી ગયા છે. ત્યારે નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાયા છે. તેને લઈને બધી રાજકીય પાર્ટીની નજર નરેશ પટેલ પર જોવા મળી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!