Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ચૂંટણી સમયે રાજકીય પાર્ટીઓ કેમ પાટીદારોને યાદ કરે છે, જાણો પટેલોનું વર્ચસ્વ. - GUJJUFAN

ચૂંટણી સમયે રાજકીય પાર્ટીઓ કેમ પાટીદારોને યાદ કરે છે, જાણો પટેલોનું વર્ચસ્વ.

ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજ પાવરફુલ જ રહ્યો છે, રાજ્યના કુલ મતદારો ના 15 ટકા એટલે કે વિધાનસભાની 71 બેઠક પર પ્રભુત્વ ધરાવતા પાટીદારો છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ થી રિસાયેલા છે. તેમને મનાવવા માટે ભાજપે પાટીદાર કેન્દ્રીય મંત્રીને પ્રવાસે ઉતાર્યા છે. આ બંને કેન્દ્રીય મંત્રી પાટીદાર નો પ્રેમ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.

કેમ કે, આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150થી વધુ બેઠકોનું લક્ષ્યાંક પાર કરવાનું છે. 2017 ની ચૂંટણીમાં પાટીદારો ને કારણે ભાજપની 8 બેઠક ઘટી ગઈ હતી.સામાન્ય રીતે ગુજરાતમાં વિધાનસભા કે લોકસભાની ચૂંટણી આવે ત્યારે પાટીદાર નેતાઓ સમાજના વર્ચસ્વની વાતો કરવા લાગે છે.

તો રાજકીય પક્ષો જ્ઞાતિવાદનું રાજકારણ ઊભું કરી પાટીદાર અનામત મેળવવાના પ્રયાસ કરતાં રહે છે.ગુજરાતમાં પાટીદાર મતદારો ના દબદબા વચ્ચે ચાર મુખ્ય મંત્રી બન્યા જેમાં ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ તો બે વાર મુખ્યમંત્રી બન્યા છતાં પણ પાંચ વર્ષ સતાપર ના ટકી શક્યા.

ઈતિહાસમાં જોવામાં આવે તો બાબુભાઈ પટેલ થી કેશુભાઈ પટેલ સહિતના કોઈપણ પાટીદાર મુખ્યમંત્રી ગમે તે કારણોસર મુદત પૂરી ન કરી શક્યા.

ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી ની વિદાય બાદ પાટીદારોનો જોર વધ્યું હતું. 2015માં ગુજરાતના પહેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હોવા છતાં પણ પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું જેને કારણે તેમને રાજીનામું આપ્યું હતું, એટલું જ નહીં પાટીદારો ભાજપથી નારાજ થવા લાગ્યા હતા.

ગુજરાતમાં અત્યાર સુધી બે મુખ્ય પક્ષ હતા ભાજપ અને કોંગ્રેસ. ત્યારબાદ હવે ગુજરાતમાં ત્રીજો મોરચો આવ્યો છે. આમ આદમી પાર્ટી લોકો દિવસેને દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે, જેને કારણે ભાજપની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *