ભાજપમાં ગાબડું ! 10થી વધુ ધારાસભ્યો ભાજપમાંથી આપી શકે છે રાજીનામું, જોડાશે આ પાર્ટીમાં..
વિરોધ પક્ષ નેતા સુખરામ રાઠવા નો ચોંકાવનારો દાવો કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા ધારાસભ્યો મારા સંપર્કમાં છે. દસ કરતાં વધુ સભ્યો અને ધારાસભ્યો મારા સંપર્કમાં છે તેવું સુખરામ રાઠવાએ જણાવ્યું હતું. પરંતુ કોંગ્રેસ પોતાના જેટલા ધારાસભ્યો છે તેટલાં જ પણ સાચવી લે તો પણ બસ છે. આવું કહેવું ન જોઈએ, પરંતુ વિધાનસભાની ચૂંટણી પહેલાં ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્યો કેસરીયો ધારણ કરશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
ત્યાં વિરોધ પક્ષ નેતા સુખરામ રાઠવાએ ચોંકાવનારો દાવો કર્યો છે અને મીડિયા સાથે વાતચીતમાં ખુલાસો કર્યો છે કે, કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા ધારાસભ્યો મારા સંપર્કમાં છે.
કપરડા માં આદિવાસી વિરોધી રેલીમાં સુખરામ રાઠવાએ આ વાત જણાવી હતી. ભાજપમાં અંદરખાને ચાલી રહ્યું છે આખી ને આખી સરકાર બદલી કાઢી કેટલાક ધારાસભ્યો પહેલા કોંગ્રેસ છોડી ગયા તો પણ મારા સંપર્કમાં છે.
ભાજપ વાળા નવી જનરેશનને ટીકીટ આપવાના છે. ઘણા બધા હાલ ભાજપનાં ચાલુ ધારાસભ્યએ પણ અમારા સંપર્કમાં જે હાલ તો તમને દસ સંખ્યા કહું છું. પણ એનાથી વધારે ભાજપ થી અસંતુષ્ટ ધારાસભ્યો મારા સંપર્કમાં છે.
ભાજપના મોવડી મંડળ ના ધારાસભ્યો મહા સંગઠનના નેતાઓ તેમજ પૂર્વ ધારાસભ્ય પણ મારા સંપર્કમાં છે. નરેશ પટેલને સીએમ બનાવવા અંગે કોંગ્રેસ મોવડીમંડળ નક્કી કરશે.
તેવું સુખરામ રાઠવાએ જણાવ્યું હતું. નરેશ પટેલ પર પણ સવાલ કરવામાં આવતા સુખરામ રાઠવાએ જવાબ આપતા કહ્યું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો 2022માં કોંગ્રેસ સરકાર બનાવશે, પણ નરેશભાઈને સીએમ બનાવવા અંગે કોંગ્રેસ મોવડીમંડળ નક્કી કરશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!