Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રેઇનકોટ અને છત્રી લઈને થઈ જાવ તૈયાર, કેરળથી ચોમાસુ વધ્યું આગળ, ગુજરાતમાં 103% વરસાદની આગાહી - GUJJUFAN

રેઇનકોટ અને છત્રી લઈને થઈ જાવ તૈયાર, કેરળથી ચોમાસુ વધ્યું આગળ, ગુજરાતમાં 103% વરસાદની આગાહી

ચોમાસાને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી જાહેર કરી છે કે, કેરળ માં નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ વહેલું ચોમાસું પહોંચી ગયું છે. ત્યારે ગુજરાતમાં પણ નૈઋત્ય નું વિધિવત રીતે ચોમાસું વહેલું બેસે તેવી શક્યતા અને એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. લોકો આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે કે, હવે ગુજરાત રાજ્યમાં જલ્દીથી મેઘરાજાની પધરામણી થશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે દિવસ માટે અમદાવાદમાં ગરમી ને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર નું ચોમાસુ ટૂંક સમયમાં ગુજરાતમાં પહોંચી જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વલસાડ, દમણ, દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં ઠંડુ વાતાવરણ જોવા મળશે.

સાથે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને વાતાવરણમાં પલટો આવવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી હળવો વરસાદ થાય તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. હાલ મિઝોરમ, નાગાલેન્ડ અને મણિપુરમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ટૂંક સમયમાં ચોમાસુ ગુજરાતમાં પહોંચી જશે.

ગુજરાતમાં આગામી 10 જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસુ પહોંચી જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે 20 જૂનની આસપાસ ચોમાસાનું સંપૂર્ણપણે સક્રિય થાય તેવા એંધાણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં જૂન થી સપ્ટેમ્બર સુધી ચાર મહિનાના સમયગાળામાં 103 ટકા વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ગુજરાતમાં એક મિની વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

જેને કારણે પોરબંદર પંથકમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, અને દરિયાકાંઠાના આસપાસના વિસ્તારમાં વરસાદ થવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ થવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. હવે ટૂંક સમયમાં વાવણીલાયક વરસાદ થશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *