હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવા આપ્યા સંકેત, હાર્દિકે તેના નિવેદન પર લીધો યુ-ટર્ન જાણો.
પાટીદાર આંદોલન અનામત સમયે માત્ર પાટીદાર સમાજની વાતો કરતો હાર્દિક પટેલ હવે તમામ સમાજની વાતો કરવા લાગ્યો છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવા આપ્યા સંકેત. ભાજપના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા નું નિવેદન બાબતે હાર્દિક પટેલે સીધો યુ-ટર્ન લીધો છે અને નિવેદન આપ્યું હતું કે, દરેક વ્યક્તિએ વાદવિવાદ ધર્મ, જાતિ આ તમામ વસ્તુ ને ભૂલી ને બધાને મદદ કરવી જોઈએ.
આગામી દિવસોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને હાર્દિક પટેલે સૂચક નિવેદન ગણી શકાય.થોડા દિવસ પહેલા મનસુખ માંડવિયા ના નિવેદન આપ્યું હતું કે, પાટીદાર એટલે ભાજપ આ નિવેદન પર હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી હતી.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ માટે દરેક રાજકીય પાર્ટીએ તમામ સમાજની સાથે લઈને ચાલવું જોઈએ બધાની મદદ કરવી જોઈએ.
મહત્વની વાત છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિની રચના બાદ હાર્દિક પટેલે પાટીદારોના મુદ્દાને લઇને સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યો હતો, એટલે જ હાર્દિક પટેલ ની છાપ એક પાટીદાર નેતા તરીકે ઉભરી હતી.
પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે જોડાયો અને કોંગ્રેસમાં તેને કાર્યકારી અધ્યક્ષ નું સ્થાન મળ્યા બાદ હવે તે એક સમાજ પૂરતો મર્યાદિત રહ્યો નથી.
એટલે જ હાર્દિક પટેલે તમામ સમાજની સાથે લઈને ચાલવાની વાત કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પણ મનસુખ માંડવિયા નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, પાટીદાર સમાજના ઘણા લોકો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં પણ છે.
ત્યારબાદ એસપીજીના પ્રમુખ લાલજી પટેલ પણ આ બાબતે નિવેદન આપ્યું હતું કે, હવે હાર્દિક પટેલ પણ એક મહત્વનું નિવેદન આપ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!