ખેડૂતો માટે ખુશીના સમાચાર / કેન્દ્ર સરકારના આ નિર્ણય થી થશે મોટો ફાયદો, જાણો.
કેન્દ્રીય રસાયણ તથા ખાતર મંત્રા લઈએ નેનો યુરિયા ટેકનોલોજી ટ્રાન્સફર માટે કર્યા એમઓયુ, રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી પીએમ નરેન્દ્ર મોદીએ, ધીરે-ધીરે એમઓયુથી ખેતીમાં ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
ભાજપ સરકારે મંગળવારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો હતો.
કેન્દ્રીય રસાયણ તથા ખાતર મંત્રાલય નેનો ટેકનોલોજી ટ્રાન્સફર માટે એક એમઓયુ ઇફકો અને નેશનલ ફર્ટીલાઇઝર લિમિટેડ અને બીજું એમઓયુ ઇસકો અને રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર લિમિટેડ ની વચ્ચે કર્યા છે.
ભાજપ સરકારના આ નિર્ણય બાદ દેશમાં નેનો યુરિયા ના ઉત્પાદન વધારો કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય રસાયણ તથા ખાતર મંત્રી મનસુખ માંડવિયા એ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 august 2019 ના લાલ કિલ્લાની પ્રાચીર થી ખેડૂતોએ અપીલ કરી હતી કે, રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરે.
નેનો યુરિયા આ દેશમાં એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રી ની પ્રેરણાથી વિકસિત આ ઉત્પાદન ક્રાંતિકારી થશે. પીએમ નરેન્દ્ર મોદીએ રાસાયણિક ખાતરનો ઓછો વપરાશ અને ઓછો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી.
તેમને જણાવ્યું હતું કે હતું કે ભારત જેવા કૃષિ પ્રધાન દેશ માટે તેનો યુરીયન ઉત્પાદન ખૂબ જ જરૂરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!