ખેડૂતો માટે ખુશ ખબર / મોદી સરકાર ખેડૂતોને આપવા જઈ રહી છે આ મોટી ભેટ
ખેડૂતોને દેવામાંથી મુક્તિ અપાવવા અને તેમની આવક વધારવા માટે સરકારી સસ્તા દરે લોન આપે છે. કિસાન ક્રેડિટ કાર્ડ કેવી સાંધા સ્કીમ છે જેમાં ખેડૂતોને 3 લાખ સુધીની લોન આપવામાં આવે છે. આ વખતે બજેટમાં આશા સેવાઈ રહી છે કે સરકાર આ યોજના ની લિમિટ ને હજુ પણ વધારી શકે છે. તમને જણાવી દઈએ કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે.
તેમાં ખેડૂતો માટે મોટાપાયે નિર્ણય લેવાઈ શકે છે. હકીકતમાં છેલ્લા થોડાક સમયમાં દેશમાં ખેડૂતોના મુદ્દે જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે.
બીજી તરફ પાંચ રાજ્યોની ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે આવા સમયે કેન્દ્ર સરકાર ખેડૂતોને માટે મોટી જાહેરાત કરી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ માં ખૂબ જ ઓછા દરે લોન મળે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ખેડૂતોને સસ્તા દરે લોન મળે છે તેમાં માત્ર 7 ટકાના દરે લોન વ્યાજ લાગે છે. એટલું જ નહીં જો કોઈ ખેડૂતોને એક વર્ષની અંદર ચૂકવે તો ફક્ત 4 વ્યાજ આપવાનું રહેશે.
વ્યાજ દર ખૂબ જ ઓછા છે ખેડૂતોની પાકની વાવણી માટે બેંકમાંથી ખૂબ ઓછા દરે વ્યાજ પર લોન મળે છે. આ લોન કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા આપવામાં આવે છે.
આ યોજનામાં ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન કોઈ પણ ગેરંટી વગર આપવામાં આવે છે. તો વળી ત્રણ થી પાંચ લાખ સુધી શોર્ટ ટર્મ લોન ફક્ત ચાર ટકાના વ્યાજ પર આપવામાં આવે છે.
સરકાર આ લોન પર ફક્ત બે ટકાની સબસિડી આપે છે, વળી સમય પર લોન ચૂકવવા પર ત્રણ ટકાની છૂટ પણ આપવામાં આવે છે. આવી રીતે આલોન ફક્ત ચાર ટકા પર મળે છે પણ જોન ચૂકવવામાં મોડુ થશે, તો આ લોન વ્યાજ દર 7 ટકાએ વસૂલવામાં આવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!