ખેડૂતો માટે ખુશીના સમાચાર : કેન્દ્ર સરકારે ખેડૂતોને આપી આ મોટી ભેટ..

ખેડૂતો માટે એક મોટા અને સારા સમાચાર છે. ખેડૂતો માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે શેરડીના ભાવ પ્રતિ ક્વિન્ટલ પાંચ રૂપિયા વધારો કર્યો છે. જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કે, કેબિનેટ અને CCEA બેઠકમાં શેરડીની વાજબી અને મહેનતાણું ભાવ માં આશરે નવા ભાવ ની મંજૂરી આપી દેવામાં આવી છે.

નફાકારક ભાવમાં વધારો ખાંડના છૂટક ભાવ અને એથોલોનના ભાવમાં વધારો કરવાનો માર્ગ મોકળો કરશે.શેરડીની એફઆરપી માં પાંચ રૂપિયાનો વધારો ખાંડના છૂટક ભાવમાં વધારો કરશે.

ખેડૂતોને ઘણો ફાયદો થશે. ગયા વર્ષે એફઆરપી માં દસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં શેરડીની એફઆરપી 285 રૃપિયા પ્રતિ ક્વિન્ટલ છે.

પરંતુ હવેથી શેરડીનો ભાવ વધી ને 290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થશે.પંજાબના સીએમ અમરિંદર સિંહ શેરડી ઉત્પાદકોને ખાતરી આપી છે કે, શેરડીનો ભાવ 360 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવશે.

ત્યાર બાદ ખેડૂતોએ તેમનું આંદોલન પાછું ખેંચી લીધું અને મુખ્યમંત્રીએ ખેડૂત નેતાઓની સાથે બેઠક કરી અને જાહેરાત કરી હતી.શેરડી નું સૌથી વધુ ઉત્પાદન યુપીમાં થાય છે.

છેલ્લા ત્રણ વર્ષથી યુપી મા શેરડીનો ભાવ વધ્યો નથી. યુપીમાં લગભગ 48 લાખ ખેડૂતો શેરડી ની ખેતી કરી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *