હવામાન વિભાગ / ખેડૂતો માટે સારા સમાચાર, આગામી 3 દિવસ બાદ આ વિસ્તારમાં થશે મેઘરાજાનું આગમન..

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં ફરી વરસાદની મોસમ સામે એવા અણસાર જોવા મળી રહ્યા છે. આગામી ત્રણ દિવસ બાદ મેઘરાજા મહેરબાન થાય તેવું હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, હવામાન વિભાગે ચાર દિવસે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 30 અને 31 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, હાલ ભારે વરસાદની શક્યતા નહિવત છે.

પરંતુ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારમાં ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે, રાજસ્થાનમાં 30 ઓગસ્ટ સુધી વરસાદની ગતિવિધિમાં ઘટાડો થશે.29 ઓગસ્ટ થી એક નવી સિસ્ટમ બનવાથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયે જ કેટલાક પંથકમાં સારો વરસાદ પડે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે રાજ્યમાં વરસાદ ખેંચાતા જળસંકટ ઊભા થયા છે. આ તરફ રાજ્યમાં મોટા ભાગના ડેમો નું પાણી ઓછું થઈ રહ્યું છે.

રાજ્યમાં 65 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીનો સિઝનમાં માત્ર 41.75 ટકા જ વરસાદ પડતાં ખેડૂતો માટે સિંચાઈના પાણીની મોટી સમસ્યા સર્જાય છે.

બીજી તરફ રાજ્યના 98 ટકા ડેમમાં માત્ર 25 ટકા પાણી બચ્યું છે. જેથી આ વખતે પણ વરસાદ સારો નહીં પડે તો પાણીની મોટી સમસ્યા સર્જાઇ શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *