Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હર હર મહાદેવ આ મહાદેવના ભગત 13000 કિલોમીટર ચાલીને 12 જ્યોતિર્લિંગ ના દર્શન કરશે, રાજકોટ પહોંચેલા આ યુવકે... - GUJJUFAN

હર હર મહાદેવ આ મહાદેવના ભગત 13000 કિલોમીટર ચાલીને 12 જ્યોતિર્લિંગ ના દર્શન કરશે, રાજકોટ પહોંચેલા આ યુવકે…

આજના સમયમાં લોકોને એક કિલોમીટર ચાલવાનું કહે તો પણ તેઓને આળસ આવતી હોય છે, અને જો કદાચ ચાલે તો તેમને પરસેવો નીકળી જતો હોય છે ક્યારેક કોક 13000 કિલોમીટરની યાત્રા કરવાનું કહે એટલે તો આપણને શું પણ વિચાર આવે અને આજના સમયમાં બદલાતી જતી લાઈફ સ્ટાઇલ એ લોકોને સુવિધા આપી છે. અને લોકોની આળસ પણ વધી છે ત્યારે ચાલી જવાનું વાત દૂર પણ આપણા માંથી જ ઘણા લોકો એવા પણ હોય છે,

જે બીજાનો સહારો લેવા કરતાં ચાલીને જવાનું વધારે પસંદ કરતા હોય છે. આજે અમે તમને એવા યુવા પૂછે વાત કરવા જઈ રહ્યા છે જેને 13000 કિલોમીટર ચાલીને મહાદેવના દર્શન કરવાના છે ભારતમાં સનાતન ધર્મ કાયમ રહે અને અખંડ ભારત બને તે માટે આ યુવકે સંકલ્પ કર્યો છે.

કે, ભારતના બાર જ્યોતિર્લિંગના દર્શન કરશે અને એ પણ 13000 કિલોમીટર ચાલીને ખૂબ જ મોટી આપણા માટે ગર્વની વાત કહેવાય કે યુવક ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી છે. તેમનું નામ દીપક ગુજર છે અને આ યુવક પોતાના પગપાળા ઉત્તર પ્રદેશની શરૂ કરી છે.

અને હાલ માટે થોડાક સમય પહેલા રાજકોટ પહોંચ્યો છે. અહીંયા સોમનાથ મહાદેવના દર્શન કરશે અને ત્યાંથી તે પગપાળા યાત્રામાં આગળ વધશે રાજકોટ પહોંચેલા દીપક ગુજારે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હું ભારતના ચારધામની યાત્રા અને બાર જ્યોતિર્લિંગના દર્શન કરશે.

યોગ્ય અત્યાર સુધીમાં 3,500 કિલોમિટર ની પગપાળા યાત્રા પૂરી કરી છે અને તે રાજકોટ પહોંચ્યા છે. બદ્રીનાથ કેદારનાથ ઓમકારેશ્વર અને મહાકાલેશ્વરના દર્શન કર્યા છે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે નીકળ્યો છે,

અને પગપાળા યાત્રા કરવાનો ઉપદેશ એટલે કે જે સનાતન ધર્મના વધારેમાં વધારે પ્રચાર થાય છે. એ બધા એક રહે અને સંગઠનમાં રહે અને આપનું ભારત ફરી અખંડ ભારત બની રહે, અને વધુમાં વધુ વૃક્ષો વાવો અને વૃક્ષો કાપવો નહીં તેવું જણાવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *