હાર્દિક પટેલે કર્યો હુંકાર / આ દિગ્ગજોની હાજરીમાં કરશે મોટી જાહેરાત
હાર્દિક પટેલ કાર્ય સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે મોરબી આવી રહ્યા છે. ત્યારે મોરબીના રવાપર ગામ ના સમૂહ જનચેતના સમેલન યોજાશે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો સહિત આગેવાનો હાજર રહેશે. મોરબીના રવાપર ગામ સરદાર સમિતિ દ્વારા કાલે તારીખ 31 ઓક્ટોબરના રોજ પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની હાજરીમાં જનચેતના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે મોરબી માં રવાપર ખાતે જનચેતના સંમેલનનું આયોજન છે. તેમાં ધારાસભ્ય લલિત કગથરા, લલિત વસોયા, પ્રવીણ ભાઈ મુછડીયા, કિરીટભાઈ પટેલ,
જીગ્નેશ મેવાણી તેમજ ચિરાગભાઈ કલારીયા સહિતના આગેવાનો હાજર રહેવાના છે. આઝાદીના સંમેલનને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઇ જેરામભાઈ પટેલ,
તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી અને શહેર કોંગ્રેસના પ્રમુખ રાજુભાઇ કાવર ના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ને દિલ્હી ના તેડા આવી રહ્યા છે. દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ છે. કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં વિપક્ષ નેતા ની જાહેરાત કરી શકે છે માનવામાં આવી રહ્યું છે કે,
દિવાળી પહેલા આ જાહેરાત થઈ શકે છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પણ સંકેત આપ્યા હતા કે ટૂંક સમયમાં વિપક્ષ નેતા ની જાહેરાત થશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!