CM બન્યા બાદ પહેલી વખત દિલ્હી જશે ભુપેન્દ્ર પટેલ, મોદી અને શાહ સાથે કરશે બેઠક, બેઠક પર નારાજ મંત્રીઓની નજર…

ગુજરાતમાં મોટી ઉથલપાથલ બાદ નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જવાના છે. સીએમ બન્યા બાદ પહેલીવાર તેઓ દિલ્હી જઈ રહ્યા છે. જ્યાં તેઓ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક પણ કરવાના છે. આ સાથે તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ પણ મળવા જવાના છે.

સીએમ બન્યા બાદ પહેલીવાર તેઓ દિલ્હી જઈ રહ્યા છે.

આવતી કાલે દિલ્હીમાં ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં આગામી સમયમાં કયા કયા કામ કરવા અને ચૂંટણીને લઈને પણ મોટી ચર્ચા વિચારણા કરી શકે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

નોંધનીય છે કે, કોઈપણ રાજ્યોના નવા મુખ્યમંત્રી ની વરણી બાદ દેશના વડાપ્રધાન સાથે બેઠક કરવાની પરંપરા રહી છે. જે તેઓ શુભેચ્છા મુલાકાત માટે દિલ્હી જઈ રહ્યા છે.

નોંધનીય છે કે સીએમ ભુપેન્દ્રપટેલ આજે જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. આનંદીબેન પોતાના અંગત કારણોસર બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે.

ત્યારે આજે સવારે ભૂપેન્દ્ર પટેલે તેમની સાથે મુલાકાત કરી હતી. આનંદીબેન પોતાના અંગત કારણોસર બે દિવસ માટે ગુજરાત પ્રવાસ કર્યો છે.

ભૂપેન્દ્ર પટેલ આનંદીબેન નજીક ગણાતા નેતા ગણવામાં આવે છે. જ્યારે સીએમ તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે તે સમયે પણ ભુપેન્દ્ર પટેલ આનંદીબેન ને યાદ કર્યા હતા. ધારાસભ્ય છે તે પણ આનંદીબેન પટેલની જ હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *