હલચલ / ભૂપેન્દ્ર પટેલે આ સમાજના અગ્રણીઓ સાથે કરી બેઠક, આ મુદ્દા પર કરી ચર્ચા
ગુજરાત રાજ્યના રાજપૂત સંસ્થાના સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એક શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજપૂત સમાજ ના મહત્વના પ્રશ્નો અંગે નિરાકરણ લાવવા માટે મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી હતી. જેમાં વિધવા મહિલાઓને હાલ રૂપિયા હજાર માસિક સહાય મળે છે.
તે ખૂબ જ ઓછી છે તેમાં વધારો કરવામાં આવે અને પાંચ હજાર કરવા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશી રજવાડાઓની યાદ માં સત્વરે સંસ્કૃતિની ઈતિહાસીક મ્યુઝિયમ બનાવવા માટે જમીન 25 એકર ફાળવાય છે.
જેમાં કામગીરી શરૂ કરવામાં આવે અને તેનું બજેટ ફાળવવામાં આવે. અનામત સંદર્ભમાં બધા જ બિન અનામત વર્ગ અને સર્વે કરવા ખાસ પંચની રચના કરવી અને તેને ત્રણ મહિનામાં અહેવાલ બનાવી બધી જ્ઞાતિઓ ના વર્ગને લાભ આપવો.
રાજકીય ક્ષેત્રે રાજપૂત સમાજને સતત અન્યાય થઈ રહ્યો છે તે બાબતને ધ્યાને લઇ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપીને આપવી યોગ્ય કાર્યવાહી કરવી.
જમીન રી સર્વે કર્મચારીઓની ભૂલના કારણે પોતાની જમીન છે તેવું સાબિત કરવા માટે સામાન્ય ખેડુતોને કચેરીઓના ધક્કા ખાવા પડે તે અન્યાય કર્તા છે તેની માટે મુદ્દત એક વર્ષ લંબાવી છે તે ગામના ટીમો મોકલી પ્રશ્નોનું નિરાકરણ યોગ્ય કરવું.
રાજપૂત સમાજની સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે જમીન ફાળવણી અન્યાય થઇ રહ્યો છે, તેના માટે અલગથી તારીખ અને સમય ફાળવણી સમાજના પ્રતિનિધિઓ સાથે મીટીંગનું આયોજન કરવા યોગ્ય વિનંતી કરવામાં આવી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!