આવી રહ્યું છે આસની વાવાઝોડું ! 18 જિલ્લાઓમાં અપાયું એલર્ટ, આવશે મોટી આફત !
તબાહી મચાવી રહ્યું છે આસની વાવાઝોડું. ઓડિશામાં વધુ એક ચક્રવાતની સંભાવનાને પગલે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ પ્રકારની સ્થિતિ સામે પહોંચી વળવા રાજ્યના વિવિધ સૂચનાઓ આપી સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમજ વહીવટી તંત્રને પણ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
18 જિલ્લા કલેકટરને પત્ર લખીને કોઈપણ જાનહાનિ ન થાય તે માટે સલામતી સ્થળે લોકોને ખસેડી દેવામાં આવે તેવી સ્થિતિને પહોંચી વળવા માટે પત્ર લખવામાં આવ્યો છે.
18 જિલ્લાના કલેકટર સાથે બેઠક યોજીને સતર્ક રહેવા નિર્દેશ અપાયો હતો વિશિષ્ટ રીતે કમિશનરે આ જિલ્લાઓને ઇમર્જન્સી ઓફિસો અને કંટ્રોલ રૂમ 25 કલાક ખુલ્લા રાખવાનો નિર્ણય અપાયો છે.
અસરગ્રસ્ત સ્થળોને ઓળખ કરી લોકોને સ્થળાંતર કરવા પર વિશેષ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં કાચા મકાનમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાનું કહી દેવામાં આવ્યું છે.
વિશિષ્ટ રાહત કમિશનર સ્થાનિક બીડીઓ અને તહસીલદાર અને સલામતી સ્થળ અથવા ઘર હોય તેવા આશ્રયસ્થાન બનાવવાની સાથે સાથે તેનું નિરીક્ષણ કરવાનું નિર્દેશ અપાયો છે. દરેક આશ્રયસ્થાનની જવાબદારી બે પુરુષ અને એક મહિલાની રહેશે.
જેમાં આશાવર્કર કે શિક્ષક, કોન્સ્ટેબલ – હેડકોન્સ્ટેબલ સમાવેશ કરવામાં આવ્યો છે. આશ્રયસ્થાનમાં પાણી, લાઇટ, શોચાલય, જનરેટર વગર ની જોગવાઈ છે કે, કેમ તેની તપાસ કરવાનો પણ કહી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હજુ સુધી હવામાન વિભાગ દ્વારા ચક્રવાત આસની ને લઈને કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એવી સ્થિતિમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!