વાવાઝોડાનું સંકટ / આ 2 રાજ્યમાં હાય એલર્ટ, આ વિસ્તારમાં વરસાદ સાથે થશે વાવાઝોડું..

વાવાઝોડું મચાવી શકે છે તબાહી ઓડિશા આંધ્રપ્રદેશ પર વાવાઝોડાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ચક્રવાતી તોફાન શનિવારે સવારે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે. તો આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાન ટકરાવાના બારથી ચોવીસ કલાક પહેલા પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ઓડીશા નજીકના જિલ્લાઓ સહિત પશ્ચિમ બંગાળના દરિયા જિલ્લા અને તમામ ઉત્તરપૂર્વીય રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, થાઈલેન્ડ અને તેની આસપાસના ક્ષેત્રમાં વહેલી સવારે 8:30 વાગ્યે હવાનું દબાણ સર્જાયું છે. જે આગામી 12 કલાકમાં અંદમાન નિકોબાર દરિયાકાંઠા પહોંચી શકે છે.

હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે ત્યારબાદ આ દરબારના ક્ષેત્ર અને પશ્ચિમ ઉત્તર અને પશ્ચિમ તરફ આગળ વધવા અને 2 ડિસેમ્બર સુધી દક્ષિણ પૂર્વ તથા બંગાળની ખાડી તરફ મધ્ય ભાગમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

4 ડિસેમ્બરના રોજ આંધ્ર પ્રદેશ અને ઓડીશા સાથે ટકરાઈ શકે છે. ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યા બાદ તોફાન 4 ડિસેમ્બર શનિવારે સવારે ઉતરી આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા ના તટવર્તી ક્ષેત્રમાં પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ડિસેમ્બર શનિવારની સવારે ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાની ક્ષેત્રમાં પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે વધુમાં કહ્યું હતું કે, ઓડિશાના ક્ષેત્રમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે તેમ જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *