શાહીન વાવાઝોડું : રાજ્યના આ વિસ્તારમાં થઈ શકે છે તેની ભારે અસર, તંત્રએ આપ્યું એલર્ટ

ગુજરાત પર વાવાઝોડાને કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત ગુલાબ ની તીવ્રતા ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચતા વધી છે. જેના કારણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મઘ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે ગુજરાત પરથી ગુલાબ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે.

ત્યારે હવે શાહીનો ખતરો મંડરાઇ રહ્યો છે જો કે આ શાહીન વાવાઝોડું કચ્છના અખાત માંથી પાકિસ્તાન તરફ વળી જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

વાવાઝોડું અને ચક્રવાત બની જતાં દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં ડિપ્રેશનની અસર પણ જોવા મળી છે. વાવાઝોડાના કારણે તંત્ર દ્વારા દરિયાકિનારા પર ન જવા માટેની સૂચના આપવામાં આવી છે, અને માછીમારોને પણ દરિયામાં ન જવા માટેનું જણાવવામાં આવ્યું છે.

વાવાઝોડાને કારણે દરિયામાં સો કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી 110 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય શકે છે.

બીજી તરફ તંત્ર દ્વારા સારો બંદોબસ્ત કરવાની પણ સૂચના આપવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો 17 જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ તેનાત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા પણ આગામી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, નવસારી, નર્મદા માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સિવાય ભાવનગર સોમનાથ અને દીવમાં પણ આજે વરસાદ થશે. અમદાવાદ અને વડોદરામાં પણ આજે છૂટો છવાયો વરસાદ રહેશે. સાથે હવામાન વિભાગ અનુસાર પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગરના પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *