Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
પાટીદાર સમાજના કેસો પાછા ખેંચો તો અમારા કેમ નહીં ! આ સમાજે એમ કહી સરકાર પાસે કરી માંગણી.. - GUJJUFAN

પાટીદાર સમાજના કેસો પાછા ખેંચો તો અમારા કેમ નહીં ! આ સમાજે એમ કહી સરકાર પાસે કરી માંગણી..

2022 વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો હવે તમામ સમાજોને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં ગુજરાતની ભાજપ સરકારે પાટીદાર પર થયેલા કેસો અને પરત ખેંચવાની જે કવાયત શરૂ કરી છે. તે હવે અન્ય સમાજના નેતાઓ પણ મેદાનમાં આવી રહ્યા છે અને પોતાના સમાજના આંદોલનકારીઓ પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદારો મત અંકે કરવા માટે અત્યારથી જ રાજકીય કવાયત શરૂ કરી છે.

રાજકોટમાં પાટીદાર કેસો પરત ખેંચવાની જાહેરાત અને ત્યારબાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથેની મુલાકાત ચર્ચાનો વેગ પકડ્યો છે.

પરંતુ શુક્રવારે પાટીદાર અનામત આંદોલન મુદ્દે ભાજપના તમામ પાટીદાર સાંસદો ગાંધીનગર પહોંચી ગયા હતા, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મૂલાકાત કરી

2015માં પાટીદાર આંદોલન થયેલા તમામ કેસો પરત ખેંચવા માટે રજૂઆત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

તેમના મતે પાટીદાર સમાજના કેસ પરત ખેંચવામાં સરકાર હકારાત્મક છે. તે વાત સારી છે, પરંતુ અન્ય સમાજના આંદોલનમાં થયેલા કેસ પણ પરત ખેંચવા જોઈએ તેવી રજૂઆત કરી હતી.

મહત્વનું છે કે, પાટીદાર ની જેમ અન્ય સમાજને પણ પોતાની માંગણીને લઇને આંદોલન કર્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *