ગુજરાતમાં હવે આ સમાજે એક મંચ પર થવાનો કર્યો હુંકાર, માતાજીનું મંદિર બનાવી એક થવા…
ગુજરાતમાં પાટીદારો એ ઉમિયાધામ નું નિર્માણ કરી એક મંચ આવ્યા બાદ હવે કારડીયા રાજપૂત સમાજ મંચ પર થવા હુંકાર કર્યો અને 35 એકરમાં અંદાજે ૧૦૦ કરોડના ખર્ચે ભવાની માતાજીનું વિશાળ મંદિર બનાવવા ની તૈયારીઓ શરૂ કરી છે. અને તમામ પેટા શાખાઓ એક કરવા જઈ રહ્યા છે જેનું આગેવાની વજુભાઈ વાળા કરશે.
ચૂંટણી નજીક આવતા જ જ્ઞાતિ આધારિત ચૂંટણીની ગણિત ઉપર ભાર મૂકવામાં આવે છે.અને પાટીદારો બાદ કારડીયા રાજપૂત સમાજ એક થઈ રહ્યા છે જેથી રાજકીય ક્ષેત્રે પણ મહત્વ જળવાઈ રહે અને સમાજની પ્રગતિ માટે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
પાટીદારોની વાત કરવામાં આવે તો ખોડલધામ સંસ્થા બનાવી નરેશ પટેલ પાટીદાર એક મંચ ઉપર લાવવા સફળ રહ્યા છે. નરેશ પટેલ ખોડલ ધામનું સંચાલન કરે છે. અને નાના-નાના મંચની એકત્ર લાવે છે. કાંઈ મહત્વની જાહેરાત કરવાનું હોય ત્યારે બધા માતાજીના આંગણે એક મચ થાય છે.
અને બધી જાહેરાત અહીંથી કરવામાં આવે છે. જે મીડિયાની હેડલાઈન બને છે. ત્યારે હવે 2022 ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે હવે કારડીયા રાજપૂત સમાજ એકત્ર થઈ રહ્યો છે. અને તે સમાજની એકતા બતાવવા મેદાનમાં ઉતરી રહ્યો છે.
ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ સૌરાષ્ટ્ર જિલ્લામાં કારડીયા રાજપુત સમાજના માતાજીનું વિશાળ મંદિર બનાવી સમાજને એક મંચ ઉપર એકત્ર લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!