સૌરાષ્ટ્રમાં 2017 જેવી ભૂલ ન થાય તે માટે PM મોદી ઉતર્યા મેદાને, પાટીદારોને રીઝવવા માટે…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે પાટીદારો 15 ટકા વસતી ધરાવતા સમાજ ચૂંટણીમાં ભાજપ થી રિસાઈ ગયો હતો. જેને ભાજપને મોટું નુકસાન થયું હતું. જેથી પીએમ નરેન્દ્ર મોદી ખુદ મેદાને ઉતર્યા છે. સૌરાષ્ટ્ર બેઠક કબજે કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર ની મુલાકાતે જોવા મળી રહ્યા છે.
ગુજરાતમાં ભાજપ 100નો આંકડા પણ પાર ન કરી શકે એવા માં પ્રધાનમંત્રી પાટીદારોને ફરી પોતાની તરફ લેવા સૌરાષ્ટ્ર પર ફોકસ વધાર્યું છે. કારણ કે પાટીદારો હોય ભલે 15% પરંતુ તેમનું ગુજરાતના રાજકારણમાં મોટો ફાળો ધરાવે છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માથે છે. ત્યારે ફરી પાટીદાર સમાજને ચર્ચાનું કેન્દ્ર બની છે. અને પાટીદારોને વોટ અને પાવર લેવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.
ત્યારે આજે બે થી ત્રણ લાખ પાટીદારો પીએમ નરેન્દ્ર મોદીની સભામાં ઉપસ્થિત રહેવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત ચૂંટણી જીતવા માટે પ્રધાનમંત્રી માટે પાટીદાર અને સૌરાષ્ટ્ર કેટલું જરૂરી છે.
તેના આના પરથી જાણે શકાય છે માત્ર ત્રણ મહિનામાં જ પાટીદારો ને લગતા પીએમ મોદી 6 મોટા કાર્યક્રમો કર્યા. પ્રધાનમંત્રીએ માર્ચ મહિનાથી મે મહિના સુધી 17 મોટા કાર્યક્રમો માત્ર ગુજરાત રાજ્યમાં કર્યા જેમાંથી 6 કાર્યક્રમો પાટીદાર સમાજ સાથે કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે 150+ નો દાવો કરવામાં આવ્યો છે. એવામાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામવાનો છે. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા માટે એડીચોટીનું જોર કરી રહી છે.
ત્યારે એક બાજુ મોટા નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે મળતી માહિતી અનુસાર આ વર્ષે વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!